• મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં જીત બાદ બેઠકનો ધમધમાટ
  • DyCM અજિત પવાર શનિવારે અચાનક દિલ્હીમાં ધામા
  • અજિત પવાર અને અમિત શાહે આગળની ઘડી રણનીતિ

મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં જીત બાદ DyCM અજિત પવાર શનિવારે અચાનક દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. જો કે બંનેની મુલાકાતની કોઈ ઔપચારિક વિગતો બહાર આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી કેબિનેટ વિસ્તરણની સાથે તેમની વચ્ચે વિધાન પરિષદની ચૂંટણી અંગે પણ ચર્ચા થઈ હતી.

વિધાન પરિષદની 11 બેઠકો માટે શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં મહાયુતિએ મહાવિકાસ અઘાડી પર જંગી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પાંચ બેઠકો જીતીને શરદ પવારને આંચકો આપ્યો હતો. અજિત પવારની એનસીપી અને એકનાથ શિંદેની શિવસેનાએ બે-બે બેઠકો જીતી હતી. શિવસેના અને એનસીપી બંને ઉમેદવારો પ્રથમ રાઉન્ડમાં ચૂંટાયા હતા.

વિધાનસભાની ચૂંટણી અંગે કરવામાં આવી ચર્ચા

વિધાન પરિષદની ચૂંટણીમાં NCPને મળેલી સફળતા બાદ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ થવા લાગી છે. દિલ્હીમાં બંને નેતાઓ વચ્ચે બંધ બારણે વાતચીત થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી પરંતુ તેની માહિતી જાહેર થઈ શકી નથી. આ બેઠક સાથે અજિત પવાર તરત જ મુંબઈ જવા રવાના થઈ ગયા.

અજિત પવારની NCPને લોકસભા ચૂંટણીમાં મોટો ફટકો!

અજિત પવારની NCPને લોકસભા ચૂંટણીમાં મોટો આંચકો લાગ્યો હતો, અજિત પવાર માત્ર એક બેઠક જીતી શક્યા હતા. આથી NCPમાં ભત્રીજા કરતાં કાકા સારા હોવાની ચર્ચા શરૂ થઈ હતી. પરંતુ હવે વિધાન પરિષદની ચૂંટણીમાં ભજિતે કાકાને આંચકો આપ્યો છે. અજિત પવારે પોતાની પાર્ટીમાં કોઈ વિભાજન થવા દીધું નથી. માનવામાં આવે છે કે આ કારણે જ અજિત પવારની પાર્ટીની જીત થઈ છે.

  • Follow us on: