મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાએ જબલપુરમાં આપેલા તેમના તાજેતરના નિવેદનથી ઉભા થયેલા વિવાદ પર સ્પષ્ટતા આપી છે. મીડિયા સાથે વાત કરતા, દેવડાએ સ્પષ્ટતા કરી કે તેમના નિવેદનને વિકૃત રીતે રજૂ કરવામાં આવ્યું હતું, જેનાથી મૂંઝવણ ઊભી થઈ. તેમણે કહ્યું કે તેમણે ભારતીય સેનાનું અપમાન કરતું કોઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું નથી પરંતુ સેનાના સન્માનમાં વાત કરી છે.
દેવડાએ કહ્યું, "મેં સ્પષ્ટપણે કહ્યું હતું કે આખો દેશ દેશની સેવા કરતા બહાદુર સૈનિકોના ચરણોમાં નમન કરે છે." પરંતુ મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું, જેના કારણે બિનજરૂરી વિવાદ સર્જાયો."
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં આરોપ લગાવ્યો કે, "મારા નિવેદનની ખોટી રજૂઆત પાછળ કાવતરું હોવાની શક્યતા નકારી શકાય નહીં. જનતા બધું જ જાણે છે. મેં હંમેશા સેના અને આપણા સુરક્ષા દળોના સન્માનમાં વાત કરી છે અને આગળ પણ કરતો રહીશ."
રાજ્યના નાણામંત્રી દેવડાએ કહ્યું, "જબલપુરમાં નાગરિક સંરક્ષણ સ્વયંસેવક તાલીમ કાર્યક્રમમાં મેં જે કહ્યું હતું, તેને ખોટી રીતે અને વિકૃત રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે, જે બિલકુલ ખોટું છે. મેં મારા ભાષણમાં કહ્યું હતું કે આતંકવાદીઓ સામે ઓપરેશન સિંદૂર ચલાવીને સેનાના બહાદુર સૈનિકોએ જે બહાદુરી બતાવી છે તેની પ્રશંસા કરીયે તેટલી ઓછી છે. આખો દેશ અને તેના લોકો તેમના ચરણોમાં નમન કરે છે અને તેમને સલામ કરે છે અને હું પણ તેમને સલામ કરું છું.