• મુસ્લિમ ડરેલા છે આ નિવેદન પર ઘેરાયા રાહુલ ગાંધી
  • AIMIM ચીફ ઓવૈસીએ તેને ગેરવાજબી ગણાવ્યું હતું
  • જ્યારે સરકારમાં હતા ત્યારે તમે કંઈ કર્યું નથીઃ ઓવૈસી

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મુસ્લિમોની સુરક્ષાને લઈને કરેલ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. હૈદરાબાદના સાંસદે બુધવારે (31 મે) કહ્યું, "રાહુલ ગાંધીનો જવાબ અયોગ્ય છે. તમને મુસ્લિમો વિશે પૂછવામાં આવ્યું હતું અને તમે દલિતો વિશે વાત કરો છો. તેમની સરકાર દરમિયાન મુસ્લિમો વિરુદ્ધ ઘણી ઘટનાઓ બની હતી. તેમના લોહીથી હોળી રમાઈ હતી, જુનૈદ નાસિર કેવી રીતે રાજસ્થાનમાં માર્યા ગયા, છત્તીસગઢમાં તેમની સરકાર છે અને ધર્મ સંસદ છે."

વાસ્તવમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેમણે મંગળવારે કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરામાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન, ભારતમાં મુસ્લિમોની સુરક્ષાના પ્રશ્ન પર, તેમણે કહ્યું, "જે રીતે મુસ્લિમોને લાગી રહ્યું છે કે તેમના પર હુમલો થઈ રહ્યો છે, હું ખાતરી આપી શકું છું કે શીખ, ખ્રિસ્તી, દલિત, આદિવાસીઓ પણ એવું જ અનુભવી રહ્યા છે. તેથી જ અમે મોહબ્બત કી દુકાન ખોલી રહ્યા છીએ. નફરતને નફરતથી કાપી શકાતી નથી, તેને માત્ર પ્રેમથી જ કાપી શકાય છે. આજે ભારતમાં મુસ્લિમો સાથે જે થઈ રહ્યું છે તે 1980ના દાયકામાં દલિતો સાથે થયું હતું."

ઓવૈસીએ રાહુલને યાદ આપાવી આ ઘટનાઓ
રાહુલ પર વળતો પ્રહાર કરતા AIMIMના વડાએ તેમના નિવેદનને ગેરવાજબી ગણાવ્યું અને કહ્યું કે જ્યારે તેઓ સરકારમાં હતા ત્યારે તેમણે મુસ્લિમો માટે શું કર્યું? તેમજ કહ્યું કે તમે જ્યારે સરકારમાં હતા ત્યારે તમે કંઈ કર્યું નથી. તમે જ્યારે સરકારમાં હતા ત્યારે તમે ગુજરાતની જનતાનો સાથ આપ્યો ન હતો. જ્યારે તમે સરકારમાં હતા ત્યારે તમે પોટા હટાવીને વધુ કડક કાયદો UAPA લાવ્યા હતા. જ્યારે તમે સરકારમાં હતા ત્યારે તમે જ્ઞાતિની વસ્તીગણતરી નહોતા લાવ્યા. અમે ઈચ્છીએ છીએ કે ભારતમાં જાતિની વસ્તી ગણતરી થવી જોઈએ. અમે એમ પણ માનીએ છીએ કે આરક્ષણ પરની 50 ટકાની મર્યાદા દૂર કરવી જોઈએ. કોંગ્રેસની સરકારોમાં મુસ્લિમો સાથે અનેક બનાવો બન્યા હતા.

અમે અરવિંદ કેજરીવાલને સમર્થન કરી શકાતા નથી
તેમણે વધુમાં કહ્યું કે, "અમે અરવિંદ કેજરીવાલને સમર્થન આપી શકતા નથી કારણ કે તેઓ નરમ નહી પરંતુ વાસ્તવિક હિન્દુત્વને અનુસરે છે. તમે શા માટે 370નું સમર્થન કરી રહ્યા હતા. પહેલા તમે તેમનો વિરોધ કરો છો, પછી તમે તેમને સમર્થન કરો છો. તમારી પાસે રાજકીય સુસંગતતા નથી. હવે જુઓ વટહુકમ આવી ગયો છે, હવે લડતા રહો." પુસ્તકોમાંથી પ્રકરણો હટાવવાના મુદ્દે ઓવૈસીએ કહ્યું, "પહેલા સાવરકર, ગોડસે ભણાવશે અને પછી ગાંધી. મૌલાના અબુલ કલામ આઝાદને પુસ્તકોમાંથી હટાવી દેવામાં આવ્યા."


  • Follow us on: