• કોંગ્રેસ-શિવસેનાએ ઉમેદવાર જાહેર કરતા શરદ પવાર નારાજ
  • કહ્યુ સહયોગી દળો ગઠબંધનના ધર્મનુ પાલન કરતા નથી
  • એનસીપી પાંચ સીટોની કરી શકે છે જાહેરાત

મહારાષ્ટ્રમાં વિપક્ષના રાજ્ય સ્તરીય ગઠબંધન મહા વિકાસ અઘાડીમાં ફાંટા પડતા દેખાઇ રહ્યા છે. ગઠબંધનના અન્ય દળો તરફથી ઉમેદવારોની જાહેરાત કરવા બદલ એનસીપીમાં નારાજગી જોવા મળી રહી છે. એનસીપીની એક આંતરિક બેઠકમાં પાર્ટી પ્રમુખ શરદ પવારે કહ્યું કે મહા વિકાસ અઘાડીના સહયોગી ગઠબંધન ધર્મનું પાલન નથી કરી રહ્યા.

MVA સહયોગી ગઠબંધન ધર્મનું પાલન કરતા નથી

સંસદીય બેઠકમાં શરદ પવારે કહ્યું કે MVAના અન્ય સહયોગીઓ ગઠબંધન ધર્મનું પાલન કરતા નથી. પવારે કહ્યું કે કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેનાએ ગઠબંધન ધર્મનું પાલન કર્યું નથી. તેમણે કહ્યું, MVAએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં એકસાથે બેઠકોની જાહેરાત કરવી જોઈતી હતી. MVAના તમામ નેતાઓએ ભેગા થઈને સંયુક્ત પત્રકાર પરિષદ યોજવી જોઈતી હતી.

અલગ અલગ બેઠકો કેમ જાહેર કરી ?

શરદ પવારે એમ પણ કહ્યું કે જ્યારે સીટ વહેંચણી પર ચર્ચા ચાલી રહી હતી, તો પછી MVA ભાગીદારો દ્વારા અલગ અલગ બેઠકો કેમ જાહેર કરવામાં આવી? પહેલા કોંગ્રેસ અને પછી ઉદ્ધવ ઠાકરે શિવસેનાએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ હવે શરદ પવારની પાર્ટી NCP પણ પોતાની સીટોની અલગથી જાહેરાત કરશે. શરૂઆતમાં MVA સંયુક્ત પત્રકાર પરિષદમાં એકસાથે બેઠકોની જાહેરાત કરવાની હતી પરંતુ હવે તમામ પક્ષો અલગ-અલગ બેઠકો અને ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે.

શિવસેનાએ ઉમેદવારોની કરી જાહેરાત

મહત્વનું છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ બુધવારે 16 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. આમાંથી ઘણી બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારો ઉભા રાખવા માંગતી હતી. તેમાં સાંગલી અને મુંબઈ દક્ષિણ મધ્ય લોકસભા સીટોનો પણ સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસ મહારાષ્ટ્રની 16 લોકસભા સીટો પર ચૂંટણી લડશે.


  • Follow us on: