પ્રતિમા મંડલે કહ્યુ હતું કે, તેઓ કોલકાતામાં છે અને દિલ્હી ગયા નથી. જોકે, તેમને અન્ય પક્ષો તરફથી દિલ્હી આવવા માટે વિનંતીઓ મળી છે.
આ માત્ર અફવાઓ છેઃ પ્રતિમા મંડલ
તૃણમૂલ કોંગ્રેસની અંદર રાજકીય ઉથલપાથલ વચ્ચે સાંસદ પ્રતિમા મંડલે પ્રતિક્રિયા આપી છે. પ્રતિમા મંડલે તમામ અટકળો અને મીડિયા અહેવાલોને ફગાવ્યા છે. જેમાં દાવો કરાયો હતો કે, તેઓ બળવાખોર સાંસદોના જૂથનો ભાગ છે અને ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં છે તે સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. પ્રતિમા મંડલે સ્પષ્ટતા આપી હતી કે, તેઓ તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મજબૂત રીતે ઉભા છે. તેમણે કહ્યું કે, હું 4 જૂનથી દિલ્હી ગઈ નથી અને હાલમાં કોલકાતામાં મારા ઘરે છું. મારા વિશે અફવાઓ ફેલાઇ છે.
ટીએમસી ગંભીર રાજકીય સંકટમાં
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં શરૂ થયેલો આ આંતરિક સંઘર્ષ હવે તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વ અને રાજકીય અસ્તિત્વ માટેના યુદ્ધમાં ફેરવાયો છે. મમતા બેનર્જીનો છાવણી દિલ્હીમાં નવા રાજકીય જોડાણો સ્થાપિત કરવામાં વ્યસ્ત છે. ત્યારે બળવાખોર જૂથ સંગઠન, ધારાસભ્યો અને સાંસદોના સમર્થન પર આધાર રાખીને પોતાને સાચા ટીએમસી તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી પરિસ્થિતિઓમાં, 28 વર્ષ જૂની તૃણમૂલ કોંગ્રેસ તેના ઇતિહાસમાં સૌથી ગંભીર રાજકીય સંકટનો સામનો કરી રહી છે.
શત્રુઘ્ન સિંહાની સ્પષ્ટતા
તો આ તરફ, શત્રુઘ્ન સિંહાએ પોતાનું મૌન તોડતા કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી મારા વિશે ઘણી અટકળો ચાલી રહી છે. કેટલાક લોકો સત્ય કહી રહ્યા છે, જ્યારે કેટલાક અફવાઓ ફેલાવી રહ્યા છે. કેટલાક લોકોએ દાવો કર્યો છે કે, હું કહેવાતા બળવાખોર જૂથમાં જોડાયો છું. હા, હું હંમેશા સ્વભાવે સ્પષ્ટવક્તા રહ્યો છું. હું ઘણીવાર કહું છું કે જો સત્ય બોલવું એ બળવો છે, તો હું પણ બળવાખોર છું. મેં હંમેશા સ્પષ્ટપણે કહ્યું છે અને કુદાળને કુદાળ કહ્યું છે. પરંતુ હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે મમતાજી મુશ્કેલ સમયમાં મારી સાથે ઉભા રહ્યા હતા, અને આજે, તેમના મુશ્કેલ સમયમાં, હું તેમને છોડી શકતો નથી.
પીએમ મોદીને પાઠવી શુભેચ્છા
શત્રુઘ્ન સિંહાની X પરની પોસ્ટે તમામનું ધ્યાન ખેંચ્યુ હતુ. હંમેશા તેમના સ્પષ્ટ શબ્દો માટે જાણીતા, આસનસોલના સાંસદ શત્રુઘ્ન સિંહાએ લખ્યું, "ખેલાડી ભાવનામાં, હું આપણા મિત્ર અને સમાજ અને રાષ્ટ્રના માર્ગદર્શક, માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 12મા કાર્યકાળ બદલ અભિનંદન આપું છું. આ કદાચ અત્યાર સુધીનો સૌથી લાંબો કાર્યકાળ છે. હું તેમને લાંબા, સ્વસ્થ અને સમૃદ્ધ જીવનની શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ!"
આ પણ વાંચોઃ Shatrughan Sinhaનું નિવેદન, મુસીબતમાં મમતા દીદીએ આપ્યો હતો ટેકો, હું તેમનો સાથ નહીં છોડું













