એયર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિંમાન B787 અમદાવાદથી લંડન જવા માટે ઉડાન ભરી રહ્યુ હતુ. ત્યારે તે ક્રેશ થયુ હતુ. અને મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં કુલ 242 મુસાફરો સવાર હતા. ટાટા ગ્રુપની કંપની એયર ઇન્ડિયા પોતાની નવી યોજના માટે 200 નવા વિમાનોનો ઓર્ડર બોઇંગને આપ્યો છે. પરંતુ પ્લેન ક્રેશ બાદ આ ઓર્ડર પર વિકટ પ્રશ્નો ઉભા થઇ શકે છે. ટાટા અમેરિકાની વિમાન નિર્માતા બોઇંગ કંપની અને ફ્રાંસની નિર્માતા એયરબસ સાથે વાતચીત કરી રહી છે.


ટાટાના બોઇંગને આર્ડર

આ ડીલમાં મોટી સંખ્યામાં ઓર્ડર આપવામાં આવ્યો છે. એયરલાઇનને ટાટા ગૃપ દ્વારા ખરીદવામાં આવ્યા બાદ વર્ષ 2023માં સૌથી મોટા નવા વિમાન માટે ઓર્ડર આપ્યો હતો. પરંતુ આ ઓર્ડરના આંકડાઓ હજુ સામે આવ્યા નથી. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ 200 નૈરો-બોડી વિમાન સામેલ છે.

રેકોર્ડ તોડ આપ્યો ઓર્ડર

એયર ઇન્ડિયાએ વર્ષ 2023માં બોઇંગ અને એયરબસ બંને 470 વિમાનોનો રેકોર્ડ તોડ ઓર્ડર આપ્યો હતો. વર્ષ 2024માં એયરબસને 100 ઓર્ડર આપવામાં આવ્યા હતા. ત્રણેય કંપનીઓ એયર ઇન્ડિયા, એયરબસ અને બોઇંગને સંભવિત નવા ઓર્ડરના ડેવલપમેન્ટ પર ટિપ્પણી કરવા મુદ્દે મનાઇ કરી હતી. 

  • Follow us on: