પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણામાં યોજાયેલી એક ભવ્ય રેલી દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષી નેતાઓ પર આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. આગામી ચૂંટણીઓના પ્રચાર અર્થે બંગાળ પહોંચેલા અમિત શાહે મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરીને રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે.
ખરગે અને રાહુલ ગાંધી પર પ્રહાર
તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, "હવે રાહુલ ગાંધીની સાથે ખરગેની ભાષા પણ બગડી રહી છે." તેમણે ખરગેને રાહુલ ગાંધીના માર્ગે ચાલનારા નેતા ગણાવ્યા હતા. શાહે વધુમાં ઉમેર્યું કે, જ્યારે વિપક્ષ પાસે કોઈ નક્કર મુદ્દાઓ નથી હોતા, ત્યારે તેઓ વ્યક્તિગત આક્ષેપો અને અભદ્ર ભાષાનો સહારો લે છે.










