બિહાર ઇલેક્શનના શરૂઆતી વલણમાં એનડીએ મજબૂત જોવા મળી રહી છે અને જેડીયુ આશરે 81 સીટો પર આગળ છે. જેડીયુએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ પણે કહ્યુ હતુ કે નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનેલા રહેશે પરંતુ થોડાંક સમય બાદ આ પોસ્ટને ડિલીટ કરી દીધી હતી.


નીતિશ કુમાર ફરીથી સીીએમ બનશે એવી કરી હતી પોસ્ટ

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. હાલમાં વલણો આવી રહ્યા છે. તેમાં નીતિશ કુમારે ફરી એકવાર પોતાનો દબદબો બનાવી રાખ્યો છે. તેમની પાર્ટી જનતા દલ (યુનાઇટેડ) લગભગ 81 બેઠકો પર આગળ ચાલી રહી છે. આ દરમિયાન JDU એ સોશિયલ મીડિયા પર નીતિશ કુમાર ફરીથી સીીએમ બનશે એવી પોસ્ટ કરી, પરંતુ થોડા સમય બાદ તેને ડિલીટ કરી દીધી.

પોસ્ટ કર્યા બાદ કરી દીધી ડિલીટ

નીતિશની પાર્ટી JDUના X હેન્ડલ પર નીતિશ કુમારનો ફોટો શેર કરવામાં આવ્યો હતો અને તેમાં કેપ્શન આપ્યું હતું કે "ન ભૂતો ન ભવિષ્યતિ… નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી હતા, છે અને રહેશે." તે પહેલાં એક સમર્થકે પટના સ્થિત પાર્ટી મુખ્યાલય સામે એક પોસ્ટર પર લખ્યું હતું કે "ટાઈગર અભી જિંદા હૈ."

ચૂંટણી પહેલાં નીતિશ કુમારને ‘બીમાર’ બતાવવામાં આવતા હતા

વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલાં નીતિશ કુમારને લઈને વાતો ફેલાવવામાં આવી રહી હતી કે તેઓ બીમાર છે, તેમની માનસિક હાલત સારી નથી. પરંતુ મતદાન પૂરુ થયા પછી તેઓ જેમ સક્રિય દેખાયા, તે એનડીએ ગઠબંધનમાં સંપૂર્ણપણે અલગ સંદેશો આપતો હતો. હવે નીતિશ કુમાર ફરીથી સીએમ બનવાની તરફ આગળ વધી રહ્યા છે.

એનડીએનું ગણિત

એનડીએ ગઠબંધનમાં ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની LJP ને પણ 21 બેઠકો મળતી દેખાઈ રહી છે અને અન્ય સાથીઓ 7 બેઠકો જીતી શકે છે.

  • Follow us on: