બિહારના સહરસા જિલ્લાના સિમરી બખ્તિયારપુર રેલ્વે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના ટળી છે. અહીં વહેલી સવારે એક પેસેન્જર ટ્રેનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને કારણે સ્ટેશન અને મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.
પેસેન્જર ટ્રેનમાં લાગી ભીષણ આગ
મળતી માહિતી પ્રમાણે બિહારના સહરસા જિલ્લાના સિમરી બખ્તિયારપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી.આગ લાગવાની આ ઘટના સમસ્તીપુર-સહરસા પેસેન્જર ટ્રેન (નંબર 63344) માં બની હતી. સવારે અંદાજે 3.40 વાગ્યાના અરસામાં ટ્રેનના એન્જિન અને તેની સાથે જોડાયેલા કોચને આગે લપેટમાં લીધા હતા. ટ્રેનમાં મુસાફરો સવાર હોવાથી ક્ષણભરમાં અફરાતફરી મચી ગઈ હતી. માહિતી મળતાની સાથે જ રેલવે તંત્ર અને ફાયર વિભાગ સક્રિય બન્યા હતા. સહરસા ફાયર સ્ટેશનથી ફોમ ટેન્ડર અને પાણીના ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી આપવામાં આવ્યા હતા. સમયસર બચાવ કામગીરી હાથ ધરીને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
https://twitter.com/ANI/status/2084098719390319084
