ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં મધપુરના સ્થાનિક જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબાની ધરપકડ કરાઇ હતી. આ ધરપકડ બાદ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. છાંગુર બાબાએ 1500 હિન્દુ યુવતીનું ધર્માંતરણ કરાવ્યુ હોવાનું સામે આવ્યુ છે. આટલું જ નહી છાંગુર બાબાના ભારતથી લઇને દુબઇ સુધીના સંપર્ક પણ પ્રકાશમાં આવ્યા છે. છાંગુર બાબાના સહયોગી નીતૂ ઉર્ફે નસરીનની ધરપકડ યૂપી એટીએસે કરી હતી.


છાંગુર બાબાનું કનેક્શન

છાંગુર બાબા રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ કરતા હોવાનું સામે આવતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. અને પર્દાફાશ કર્યો હતો. છાંગુર બાબાના અનુયાયિઓમાં મહિલાઓની સંખ્યા વધુ છે. એટીએસ હવે એવા લોકોની શોધ કરી રહી છે. જેઓ આ ધર્માંતરણનો શિકાર થયા છે. છાંગુર બાબાએ ઉતરપ્રદેશ પહેલા મહારાષ્ટ્રથી લઇને દુબઇ સુધી પોતાનું નેટવર્ક બનાવી લીધુ હતુ. મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં લોકોનું ધર્મપરિવર્તન કરવામાં આવ્યુ છે.

છાંગુર બાબા મુંબઇમાં વેંચતા હતા અંગુઠી

છાંગુર બાબા મુંબઇમાં ગુજરાન ચલાવવા માટે અંગૂઠી વેંચતા હતા. અને આ દરમિયાન જ તેઓએ ખાડી દેશમાં પોતાના સંપર્ક મજબૂત બનાવી લીધા હતા. તેઓ હિન્દુઓને ઇસ્લામ બનાવવા માટે કામ કરી રહ્યા હતા. આઝામગઢમાં છાંગુર બાબાના સંબંધીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેઓ હિન્દુઓને ધર્મપરિવર્તન કરાવવામાં છાંગુર બાબાની મદદ કરતા હોવાથી તેમની ધરપરકડ કરાઇ હતી. છાંગુર બાબા હિન્દુઓેને ઇસ્લામ બનવા માટે લાલચ આપતા હતા. હવે એટીએસે જ્યારે તેમની સહયોગી નીતૂ ઉર્ફે નસરીનને બે દિવસના રિમાન્ડ પર લીધી છે ત્યારે વધુ ખુલાસા થવાની શક્યતા જોવામાં આવી રહી છે. 

  • Follow us on: