ઉત્તર પ્રદેશના અમરોહામાં દુર્ઘટના સર્જાઇ હતી. અહીં આવેલી ફટાકડા બનાવતી ફેક્ટ્રીમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 4 મહિલા શ્રમિકોના મોત થયા હતા. અને અન્ય 9 લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા ડીએમ અને એસપી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને કાર્યવાહી શરુ કરી હતી. તંત્રએ તુરંત જ બચાવ કાર્ય શરુ કર્યુ હતુ. ઘાયલોને આનન-ફાનનની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.


બ્લાસ્ટમાં શ્રમિકોએ ગુમાવ્યા જીવ

ઉત્તર પ્રદેશના અમરોહામાં બનેલી દુર્ઘટનાએ ચર્ચાનો દૌર શરુ કર્યો છે. રજવપુર પોલીસ સ્ટેશનના ક્ષેત્રમાં આવેલા અતરાસી ગામ પાસે આવેલી ફટાકડા ફેક્ટ્રીમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટના ત્યારે સર્જાઇ જ્યારે શ્રમિકો ફટાકડા પૈક કરવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ આ બ્લાસ્ટ થયો હતો. અને 4 મહિલા શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ઘટના સ્થળ પરના દ્રશ્યો ચોંકાવનારા હતા. શ્રમિકોના મૃતદેહ વિચિત્ર હાલતમાં પડ્યા હતા.

ઘાયલોને ખસેડાયા હૉસ્પિટલ

પોલીસે ઘટના સ્થળે આવીને તમામ કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. તો ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. હાલ ઘાયલોની સ્થિતિ પણ ગંભીર છે. દિલ્હી-NCR ક્ષેત્રમાં ફટાકડા ફેક્ટ્રી બંધ થયા બાદ અમરોહામાં વિવિધ સ્થળોએ ફટાકડા ફેક્ટ્રીઓનો રાફડો ફાટ્યો છે. સુરક્ષા વ્યવસ્થા વિના આ ફટાકડા ફેક્ટ્રીઓ ખોલવામાં આવી છે. અને શ્રમિકોને કામ આપવામાં આવે છે. જેનાથી તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે. 

  • Follow us on: