રાજા રઘુવંશી હત્યાકાંડમાં નવા-નવા ખુલાસાઓ થતા રહે છે. ત્યારે આ કેસ સાથે સંકળાયેલા બે શખ્સ જેમણે સોનમની મદદ કરી હતી તેમને હવે જામીન મળ્યા છે. શિલોંગ કોર્ટે આ જામીન આપ્યા છે. લોકેન્દ્ર સિંહ તોમર અને બલબીર અહિરવારને હાલ જામીન અપાયા છે. રાજાની હત્યા બાદ જ્યાં સોનમ આવીને રોકાઇ હતી. એ ફ્લેટનો સિક્યોરીટી ગાર્ડ બલબીર અહિરવાર હતો. આ બન્ને વેપારીઓ પર પુરાવા સાથે છેડછાડ કરવાના આરોપો છે.


બે આરોપીઓને મળ્યા જામીન

લોકેન્દ્ર સિંહ તોમર અને બલબીર અહિરવારની જામીન પર સુનાવણી વીડિયો કોન્ફ્રેન્સ દ્વારા કરવામાં આવી હતી. આ બન્ને આરોપીઓએ સોનમને રહેવા માટે સ્થાન આપવા બાબતે કેસ ચલાવવામાં આવ્યો હતો. લોકેન્દ્ર સિંહ તોમર અને બલબીર અહિરવાર સામે ચાલી રહેલા કેસમાં ચાલી રહેલી કલમો જામીન અંગેની છે. હત્યાના ગુનામાં આ બન્ને આરોપીઓની કોઇ પ્રત્યક્ષ ભૂમિકા નથી. તો આ તરફ, મેઘાયલ પોલીસે આરોપીઓની જામીન મામલે વિરોધ વ્યક્ત કર્યો છે. પરંતુ કોર્ટે બચાવ પક્ષની દલીલોને ધ્યાનમાં રાખીને તેમને જામીન આપ્યા છે. કોર્ટે જામીન સમયે શરતોનું પાલન કરવા માટે આદેશ આપ્યા છે.

શું હતો સમગ્ર મામલો ?

સોનમે પોતાના પ્રેમી અને મિત્રો સાથે મળીને પતિ રાજા રઘુવંશીની હત્યા કરી હતી. મેઘાલયમાં તેણે હનીમૂન દરમિયાન તેના પતિની હત્યા કરી હતી. અને બાદમાં ગાયબ થવાનું નાટક કર્યુ હતુ. પરંતુ પોલીસ તપાસમાં સોનમની ધરપકડ કરવામાં આવી હતી. અને તેણે સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો હતો. મે મહિનામાં ઇન્દોરમાં સોનમ અને રાજાના લગ્ન થયા હતા. પરંતુ સોનમ રાજ કુશાવાહા નામના શખ્સને પ્રેમ કરતી હતી. તેને મેળવવા માટે તેણે પોતાના પતિ રાજાને મોતને ઘાટ ઉતાર્યો હતો. 

  • Follow us on: