અસમમાં ઉદલગુરીમાં ધરા ધ્રુજી હોવાના સમાચાર સામે આવ્યા છે. રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતા નોંધાઈ છે. ભૂકંપના ઝટકાનો અનુભવ થવાના કારણે લોકો તાત્કાલિક પોતાના ઘરની બહાર નીકળી ગયા છે. NCSએ આ અંગે જાણકારી આપી છે. NCS મુજબ ભૂકંપ રવિવારે સાંજે 4 વાગ્યેને 41 મિનિટ પર આવ્યો છે અને તેનું કેન્દ્ર 5 કિલોમીટર ઉંડાઈ પર હતું.


મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરના કેટલાક ભાગમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

જો કે આ કુદરતી ઘટનાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મિલકતને કોઈ નુકસાન થયું હોવાની જાણકારી અત્યાર સુધી પ્રાપ્ત થઈ નથી. હાલમાં રાહત અને બચાવ કામગીરી કરતી ટીમને સતર્ક કરવામાં આવી છે અને પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. NCSના કહેવા મુજબ ભૂકંપનું કેન્દ્ર અસમના ઉદલગુડી જિલ્લામાં હતું. ભૂકંપના ઝટકા અસમની સાથે-સાથે નોર્થ-ઈસ્ટના અન્ય રાજ્યો જેમ કે મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરના કેટલાક ભાગમાં પણ અનુભવાયા છે.

સ્થાનિક લોકોમાં ડરનો માહોલ

સ્થાનિક લોકોએ જણાવ્યું કે કેટલીક સેકન્ડ માટે આવેલા આ ઝટકાઓએ ડરનો માહોલ ઉભો કર્યો છે પણ સ્થિતિ જલદી જ સામાન્ય થઈ ગઈ. તંત્રએ લોકોને અફવાઓ પર ધ્યાન ના આપવા અને સુરક્ષિત સ્થળ પર રહેવા માટે અપીલ કરી છે. ભૂકંપ બાદ કોઈ પણ આફ્ટર શોકની સંભાવનાને લઈને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ઉત્તર-પૂર્વ ભારત ભૂકંપ ઝોન-5માં આવે છે અને ખુબ જ સંવેદનશીલ છે.


  • Follow us on: