ટર્કિશ એરલાઈન્સનું એક પેસેન્જર વિમાન મોટી હવાઈ દુર્ઘટનામાંથી માંડ માંડ બચી ગયું છે. એન્જિનમાં આગ લાગવાને કારણે 4 ફેબ્રુઆરી બુધવારે કોલકાતા એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં 236 મુસાફરો સવાર હતા. જોકે બધા મુસાફરો સુરક્ષિત છે.













