16 જુલાઈનો દિવસ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે અત્યંત મહત્વનો રહેવાનો છે. 16 જુલાઈના દિવસે વિજ્ઞાન, પર્યાવરણ, ધર્મ અને ભારતીય રાજકારણમાં અનેક મહત્વપૂર્ણ વળાંકો આવ્યા છે. અષાઢી બીજના પવિત્ર તહેવાર નિમિત્તે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયપત્રકમાં મોટો ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ લાલપુર માર્કેટિંગ યાર્ડમાં તમામ હરાજીનું કામકાજ બંધ રહેશે. આવો વિગતવાર જાણીએ 16 જુલાઈ સાથે જોડાયેલી આ તમામ રસપ્રદ અને મહત્વની બાબતો.  

સોનિયા ગાંધીના નિવાસે કોંગ્રેસની મહત્વની બેઠક

આગામી ચોમાસુ સત્રને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. સંસદ સત્ર માટે રણનીતિ ઘડવા માટે સોનિયા ગાંધીની આગેવાનીમાં તેમના નિવાસસ્થાને 16 જુલાઈના રોજ એક હાઈ-લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિપક્ષી વલણ અને મુદ્દાઓ પર ચર્ચા થશે.

દિલ્હીમાં BIMSTEC સુરક્ષા શિખર સંમેલન

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ 16 જુલાઈના રોજ નવી દિલ્હીમાં બિમ્સ્ટેક સુરક્ષા શિખર સંમેલનની મેઝબાની કરશે. આ મહત્વપૂર્ણ બેઠકમાં સભ્ય દેશોના વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ ક્ષેત્રીય સુરક્ષા અને સહયોગ પર મંથન કરશે.

સોનમ વાંગચુગની ભૂખ હડતાલ પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી

લદ્દાખના મુદ્દાઓ માટે છેલ્લા 18 દિવસથી ભૂખ હડતાલ પર ઉતરેલા પર્યાવરણવાદી સોનમ વાંગચુગ મામલે 16 જુલાઈના રોજ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. કોર્ટે આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારને અગાઉથી જ નોટિસ ફટકારી દીધી છે.

NEET પરીક્ષાના વિરોધમાં CJPની દેશવ્યાપી ભૂખ હડતાલ

NEET (UG) 2026 પરીક્ષા અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 16 જુલાઈએ દેશવ્યાપી ભૂખ હડતાલનું એલાન કરાયું છે. આ આંદોલન હવે 25મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે.

અરવિંદ કેજરીવાલ CJPના વિરોધ પ્રદર્શનને આપશે સમર્થન

આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે NEET પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહેલી CJP પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે. તેઓ 16 જુલાઈએ સાંજે 5 વાગ્યે જંતર-મંતર ખાતે આ પ્રદર્શનમાં સામેલ થશે.

દેશભરમાં જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, કોલકાતામાં શુભેન્દુ અધિકારી કરશે શુભારંભ

16 જુલાઈના રોજ દેશના વિવિધ ભાગોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થઈ રહી છે. કોલકાતામાં ઇસ્કોન દ્વારા આયોજિત રથયાત્રામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી રથની દોરી ખેંચીને યાત્રાનું પ્રસ્થાન કરાવશે. નવી સરકાર બન્યા બાદ તેઓ પ્રથમવાર આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી વન-ડે મેચનો રોમાંચ

ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ અંતર્ગત 16 જુલાઈના રોજ બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની બીજી વન-ડે મેચ રમાશે, જેને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે.

ફીફા વર્લ્ડ કપ 2026: ઈંગ્લેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે સેમિફાઇનલ

ફૂટબોલના મહાકુંભ ફીફા વર્લ્ડ કપ 2026ની બીજી રોમાંચક સેમિફાઇનલ મેચ 16 જુલાઈના રોજ રમાશે. આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ઈંગ્લેન્ડ અને આર્જેન્ટિનાની ટીમો ફાઇનલમાં જગ્યા બનાવવા આમને-સામને ટકરાશે.

હૈદરાબાદમાં BRICS મંત્રીસ્તરીય બેઠકનો અંતિમ દિવસ

ભારતના પ્રમુખપદ હેઠળ હૈદરાબાદમાં ચાલી રહેલી બે દિવસીય 12મી બ્રિક્સ (BRICS) શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકનો 16 જુલાઈએ છેલ્લો દિવસ છે. આ બેઠકમાં વૈશ્વિક સ્તરે રોજગારી અને સામાજિક સુરક્ષા અંગે મહત્વના નિર્ણયો લેવાય તેવી સંભાવના છે.

દેશભરમાં રાષ્ટ્રીય સ્તરે ‘AI એપ્પ્રિશિયેશન ડે’ની ઉજવણી

ડિજિટલ ક્રાંતિ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીના સન્માનમાં દેશભરમાં 'AI Appreciation Day' મનાવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત વિવિધ ટેકનોલોજીકલ પ્રગતિની સમીક્ષા કરાશે.

અષાઢી બીજ નિમિત્તે લાલપુર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

જામનગર જિલ્લાનું લાલપુર એપીએમસી માર્કેટિંગ યાર્ડ અષાઢી બીજના પવિત્ર તહેવાર નિમિત્તે 16 જુલાઈએ સંપૂર્ણપણે બંધ રહેશે. આ દિવસે હરાજી સહિતની તમામ ખરીદ-વેચાણની પ્રવૃત્તિઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં મોટો ફેરફાર

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 16 જુલાઈથી ભક્તોની સુવિધા માટે દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. હવે બપોરે રાજભોગ પછી પણ મંદિર ખુલ્લું રહેશે અને રાત્રે 9 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. સવારની આરતી 7 વાગ્યે અને સાંજે 7 વાગ્યે આરતી થશે.

કચ્છી માડુઓનું નૂતન વર્ષ: અષાઢી બીજની પરંપરાગત ઉજવણી

કચ્છમાં અષાઢ સુદ બીજના પવિત્ર દિવસને નૂતન વર્ષ એટલે કે 'કચ્છી નવા વર્ષ' તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે કચ્છીઓ ચોમાસાના આગમન અને વરસાદની સ્થિતિના આધારે આગામી આખું વર્ષ કેવું રહેશે તેનું અનુમાન લગાવે છે.

વિશ્વ સર્પ દિવસ: પ્રકૃતિમાં સાપના મહત્વની જાગૃતિ

સાપ પ્રત્યેના ડરને દૂર કરવા અને પર્યાવરણીય સંતુલનમાં તેમના અનિવાર્ય મહત્વ વિશે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 16 જુલાઈના રોજ 'વિશ્વ સર્પ દિવસ' ઉજવવામાં આવે છે.

સૂર્યનું કર્ક રાશિમાં ગોચર

16 જુલાઈ 2026ના રોજ સૂર્ય ગ્રહ ચંદ્રની માલિકીની કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચરને કારણે કૌટુંબિક અને ભાવનાત્મક બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રિત થશે. ચોક્કસ ભુવનોમાં સૂર્યના ભ્રમણને કારણે જાતકોને ધીરજ રાખવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા 16 જુલાઈએ ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે ઓડિશામાં રેડ એલર્ટ અને શિમલામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

અમેરિકાએ કર્યું હતું વિશ્વનું પ્રથમ પરમાણુ પરીક્ષણ

16 જુલાઈ 1945ના રોજ અમેરિકાએ ન્યૂ મેક્સિકોમાં વિશ્વનું સૌપ્રથમ સફળ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. આ બોમ્બનું નિર્માણ વૈજ્ઞાનિક રોબર્ટ ઓપનહેમરની આગેવાનીમાં મેનહટન પ્રોજેક્ટ હેઠળ કરાયું હતું, જે બાદમાં જાપાનના હિરોશિમા-નાગાસાકીની બરબાદીનું કારણ બન્યું હતું.

16 જુલાઇની ઐતિહાસિક ઘટનાઓ

  • 1439 - ઈંગ્લેન્ડ: બીમારી ફેલાવવાના ડરથી દેશમાં Kissing પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
  • 1465 - ફ્રાન્સ: મોન્ટલહેરીમાં ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું હતું.
  • 1519 - જર્મની: માર્ટિન લ્યુથર અને ધાર્મિક વિચારક જ્હોન એક વચ્ચે લેઇપઝિગના પ્લેસિનબર્ગ કેસલ ખાતે જાહેર ચર્ચા શરૂ થઈ.
  • 1661 - સ્વીડન: સ્વીડિશ બેંક 'સ્ટોકહોમ બેંકો' દ્વારા યુરોપમાં સૌપ્રથમવાર કાગળની ચલણી નોટ જારી કરવામાં આવી.
  • 1790 - અમેરિકા: યુએસ કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે કોલંબિયા (વોશિંગ્ટન ડી.સી.)ની સ્થાપના કરવામાં આવી.
  • 1798 - અમેરિકા: જાહેર આરોગ્ય સેવા વિભાગની રચના કરાઈ અને યુએસ મરીન હોસ્પિટલને અધિકૃત કરવામાં આવી.
  • 1856 - ભારત: હિન્દુ વિધવાઓના પુનર્લગ્નને કાનૂની માન્યતા આપતો ઐતિહાસિક કાયદો પસાર થયો.
  • 1890 - તબીબી વિજ્ઞાન: ડૉ. પાર્કિન્સે પાર્કિન્સન રોગ અને તેના શરીર પર થતી અસરોની પ્રક્રિયાની શોધ કરી.
  • 1894 - આંતરરાષ્ટ્રીય: જાપાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ઐતિહાસિક આઓકી-કિમ્બરલી સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
  • 1900 - રશિયા: રશિયન સેનાએ મંચૂરિયામાં ચીની નાગરિકો સામે લશ્કરી આક્રમણ શરૂ કર્યું.
  • 1925 - ઈરાક: રાજા ફૈઝલે બગદાદમાં દેશની સૌપ્રથમ સંસદની સ્થાપના કરી.
  • 1926 - નેશનલ જિયોગ્રાફિક: ઈતિહાસમાં પ્રથમ વખત નેશનલ જિયોગ્રાફિક મેગેઝિને પાણીની અંદરના દ્રશ્યોના કુદરતી રંગીન ફોટા લીધા.
  • 1935 - અમેરિકા: ઓક્લાહોમા સિટીમાં વિશ્વનું પ્રથમ ઓટોમેટિક પાર્કિંગ મીટર સ્થાપિત કરવામાં આવ્યું.
  • 1942 - ફ્રાન્સ: બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પેરિસમાં પોલીસે 13,152 યહૂદીઓની સામૂહિક ધરપકડ કરી.
  • 1945 - અમેરિકા: ન્યૂ મેક્સિકોના રણમાં અણુ બોમ્બનું વિશ્વનું સૌપ્રથમ સફળ પરીક્ષણ (ટ્રિનિટી ટેસ્ટ) કરવામાં આવ્યું.
  • 1950 - ફીફા વર્લ્ડ કપ: ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલમાં ઉરુગ્વેએ યજમાન બ્રાઝિલને હરાવીને ટાઈટલ જીત્યું.
  • 1969 - એપોલો-11: મનુષ્યને ચંદ્ર પર લઈ જનાર પ્રથમ અવકાશયાન 'એપોલો-11' લોન્ચ કરવામાં આવ્યું.
  • 1970 - ઈરાક: દેશમાં નવું બંધારણ સત્તાવાર રીતે અમલમાં આવ્યું.
  • 1981 - ભારત: પરમાણુ ક્ષેત્રે આગળ વધતા ભારતે મહત્વપૂર્ણ પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1990 - ફિલિપાઈન્સ: 7.7ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં 400થી વધુ લોકોના મોત નીપજ્યા.
  • 1990 - યુક્રેન: યુક્રેનની સંસદે સોવિયત સંઘથી અલગ થઈને સત્તાવાર સ્વતંત્રતા જાહેર કરી.
  • 1993 - બ્રિટન: બ્રિટિશ ગુપ્તચર સંસ્થા MI5 ના સભ્યનો ફોટો અને ઓળખ પ્રથમ વખત સાર્વજનિક કરવામાં આવી.
  • 1999 - અમેરિકા: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કેનેડીના પુત્ર જોન એફ. કેનેડી જુનિયરનું વિમાન અકસ્માતમાં કરુણ મોત થયું.
  • 2001 - ઓલિમ્પિક: બેલ્જિયમના જેક્સ રોગ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના આઠમા પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 2002 - પેરાગ્વે: દેશમાં આંતરિક કટોકટી અને અશાંતિના કારણે ઈમરજન્સીની ઘોષણા કરવામાં આવી.
  • 2003 - આંતરરાષ્ટ્રીય: પાકિસ્તાન, સાઉદી અરેબિયા સહિત 53 ઇસ્લામિક દેશો વર્ષ 2005 સુધીમાં ઇઝરાયેલને માન્યતા આપવા સંમત થયા.
  • 2004 - ચીન: ઉત્તર ચીનના તિયાનચીન શહેરમાં દેશની પ્રથમ ઓનલાઈન હવાઈ સંરક્ષણ (એર ડિફેન્સ) કવાયત યોજાઈ.
  • 2006 - સંયુક્ત રાષ્ટ્ર: યુએન સુરક્ષા પરિષદમાં ઉત્તર કોરિયા પર પ્રતિબંધો મૂકતો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર થયો.
  • 2007 - બાંગ્લાદેશ: નાણાંની ગેરકાયદે વસૂલાત (તોડબાજી)ના કેસમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની ધરપકડ કરાઈ.
  • 2008 - બ્રિટન: પૂર્વ પીએમ ટોની બ્લેરે સુરક્ષાના કારણોસર તેમની પ્રસ્તાવિત ગાઝા પટ્ટીની મુલાકાત રદ કરી.
  • 2011 - વસ્તી ગણતરી: ભારતના સેન્સસ રિપોર્ટ અનુસાર, ગામડાઓ (12.18%) કરતા શહેરોમાં વસ્તી વધારો (31.80%) અઢી ગણી ઝડપે નોંધાયો.
  • 2013 - બિહાર મધ્યાહ્ન ભોજન: બિહારમાં મધ્યાહ્ન ભોજનનું ઝેરી ખોરાક ખાવાથી 27 માસૂમ બાળકોના મોત થયા હતા.
  • 2014 - ખગોળ વિજ્ઞાન: વૈજ્ઞાનિકોએ ન્યૂ હોરાઇઝન્સ સ્પેસક્રાફ્ટ દ્વારા પ્લુટો ગ્રહની અત્યાર સુધીની સૌથી નજીકની અને સ્પષ્ટ તસ્વીરો કેપ્ચર કરી.

16 જુલાઈના રોજ મહાન હસ્તીઓના જન્મદિવસ

  • 1896 - ટ્રિગવી લી - પ્રખ્યાત મજૂર નેતા, નોર્વેજીયન રાજકારણી અને સંયુક્ત રાષ્ટ્ર (UN) ના પ્રથમ સેક્રેટરી જનરલ.
  • 1909 - અરુણા આસફ અલી - ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી મહિલા ક્રાંતિકારી નેતા.
  • 1917 - જગદીશચંદ્ર માથુર - હિન્દી સાહિત્યના પ્રખ્યાત નાટ્યકાર અને લેખક.
  • 1923 - કે. વી. કૃષ્ણા રાવ - ભારતના ભૂતપૂર્વ ચીફ ઓફ આર્મી સ્ટાફ (ભૂમિસેના અધ્યક્ષ).
  • 1937 - આર. કે. ધવન - ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ.
  • 1956 - ભાગવત કરાડ - ભાજપના મહારાષ્ટ્રના રાજ્યસભા સાંસદ .
  • 1968 - ધનરાજ પિલ્લઈ - ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ હોકી ખેલાડી.
  • 1984 - કેટરિના કૈફ - બોલિવૂડની પ્રખ્યાત અને લોકપ્રિય અભિનેત્રી.

16 જુલાઈના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

  • 2005 - કે.વી. સુબન્ના - પ્રસિદ્ધ કન્નડ નાટ્યકાર અને રેમન મેગ્સેસે પુરસ્કાર વિજેતા સાહિત્યકાર.
  • 2017 - નર બહાદુર ભંડારી - સિક્કિમ રાજ્યના ભૂતપૂર્વ અને બીજા મુખ્યમંત્રી.
  • 2021 - સુરેખા સિક્રી - રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પીઢ ભારતીય અભિનેત્રી અને ટેલિવિઝન કલાકાર ('દાદીસા').


આ પણ વાંચો - Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મહાઆરતીમાં ભાગ લીધો