ગુજરાતના વડોદરા અને આણંદને જોડતો મહિસાગર નદી પર બનેલ ગંભીરા પુલ પાદરામાં વહેલી સવારે ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોના કરૂણ મોત થયા છે. રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યુ છે. સ્થાનીક પ્રશાસન ખડેપગે ઉભુ છે. PM મોદીએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી ખબરઅંતર પુછ્યા છે.


PM મોદીએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો

PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ખૂબ જ દુઃખદ છે, દરેક મૃતકના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય કરવામાં આવશે.

PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય કરવામાં આવશે.

"ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલા જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. દરેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.



  • Follow us on: