ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો. દિબિયાપુરમાં લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા મુસાફરોને લઈ જતી એક કાર અછલદા પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે આવેલ ગંગા નહેરમાં ખાબકી ગઈ. માર્ગ અકસ્માતની ઘટના બુંદેલખંડ એક્સપ્રેસવે નજીક તુર્કપુર ગામ પાસે બનવા પામી. જયાં લગ્ન સમારોહમાં હાજરી આપીને ડસ્ટર કારમાં સવાર લોકો ભરથાણા (ઇટાવા) ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક ચાલકે કાબુ ગુમાવ્યો અને કાર નહેરમાં ખાબકી. આ ભયાનક અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ લોકોના દુઃખદ મોત થયા.


તુર્કપુર ગામ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત

તુર્કપુર ગામ પાસે અકસ્માતની જાણ થતાં જ લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા. ગંગા નહેરમાં કારને જોઈને તેમને કંઈક અઘટિત થયું હોવાની શંકા ગઈ. લોકોએ આ ઘટનાની પોલીસને જાણ કરી. દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટ ઇન્દ્રમણિ ત્રિપાઠી અને અધિક પોલીસ અધિક્ષક ભારે પોલીસ દળ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી, ક્રેન અને ફાયર બ્રિગેડનો ઉપયોગ કરીને કારને પાણીમાંથી બહાર કાઢી. અંદર ફસાયેલા ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

પોલીસ તપાસમાં સામે આવ્યું, મૃતકો ભરથાનાના રહેવાસી

અકસ્મતાના ઘટનાસ્થળની પોલીસે તપાસ કરી. જિલ્લા મેજિસ્ટ્રેટ ઇન્દ્રમણિ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે મૃતકો ભરથાનાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં જાણવા મળ્યું કે તેઓ એક લગ્નમાં હાજરી આપવા માટે દિબિયાપુર આવ્યા હતા. અને પાછા ફરતી વખતે, તુર્કપુર નજીક તેમની કાર અકસ્માતનો ભોગ બની હતી. પોલીસે મૃતકોના પરિવારજનોને આ દુ:ખદ ઘટના વિશે જાણ કરી છે. મૃતદેહોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને શબઘરમાં મોકલી દેવામાં આવ્યા છે, અને પોલીસ હાલમાં આ કેસમાં આગળની કાનૂની કાર્યવાહી કરી રહી છે.


આ પણ વાંચો : AI Impact Summit 2026: AI સમિટમાં વર્લ્ડ લીડર્સનું PM Modiએ કર્યુ સ્વાગત, જાણો કયા દિગ્ગજો છે હાજર ?


આ પણ વાંચો : 

  • Follow us on: