હિમાચલના મંડીમાં એક દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે, મંડીમાં એક બસ ખીણમાં પડતા 25 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.  મળતી માહિતી મુજબ હજી પણ 3 લોકો ફસાયેલા હોવાનું સામે આવ્યુ છે. જેમાંથી 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. 



200 ફૂટની ખીણમાં ખાબકી 

મળતી માહિતી મુજબ એક ખાનગી બસ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ બસ બલદ્વાડાથી મંડી જઇ રહી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીમાં જોડાઇ ગયા હતા. મુસાફરોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા છે. ગંભીર રીતે ઇજાગ્રસ્તોને નેરચૌક મેડિકલ કોલેજ અને સામુહિક સ્વાસ્થ્ય કેન્દ્ર રિવાલસરમાં ભરતી કરાયા છે.

રાહત-બચાવ કામગીરી શરૂ 

મળતી માહિતી મુજબ બસમાં 25થી વધારે મુસાફરો હતો. જાણકારી મુજબ હજુ કેટલાક લોકો ફસાયેલા છે. તેઓને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી રહી છે. સરકાઘાટ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનાનું કારણ ખરાબ રસ્તા અને ડ્રાઇવરની લાપરવાહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 


  • Follow us on: