આજે દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી પીએમ મોદીએ તિરંગો લહેરાવ્યો. આ દરમિયાન ભારતીય વાયુસેનાના બે Mi-17 હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી. એક હેલિકોપ્ટરએ તિરંગો લહેરાવ્યો અને બીજુ ઓપરેશન સિંદૂરનું બેનર લઇને ફુલોની વર્ષા કરતા જોવા મળ્યુ. પીએમ મોદીએ કહ્યું કે આજે 140 કરોડ દેશવાસીઓ તિરંગાના રંગમાં રંગાયેલા છે.



પીએમ મોદીએ વધુમાં કહ્યું કે રણ હોય કે હિમાલયના શિખરો, દરિયા કિનારો હોય કે ભીડભાડવાળા વિસ્તારો - દરેક જગ્યાએ ફક્ત એક જ અવાજ ગુંજી રહ્યો છે, માતૃભૂમિનું જયગાન.સાથે જ પીએમ મોદીએ લાલ કિલ્લાએથી કલમ 370ની દિવાલ પાડવાનો નિર્ણય ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ ગણાવી. પીએમ મોદીએ પહલગામ આતંકી હુમલાના બદલા માટે ચલાવેલા ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો.

ન્યુક્લિઅર ધમકીથી ડરીશું નહી- પીએમ મોદી 

પીએમ મોદીએ સૈનિકોને સેલ્યૂટ કરીને કહ્યું કે પહલગામમાં સીમાપારથી આવેલા આતંકીઓનો ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી. પત્ની અને બાળકો સામે મારી દેવામાં આવ્યા. આ ઘટનાથી દેશ આખો રોષે છે. ઓપરેશન સિંદૂર તે આક્રોશની અભિવ્યક્તિ છે. પીએમ મોદીએ પાકિસ્તાનને ચેતાવણી આપતા કહ્યું કે હવે ભારત ન્યુક્લિઅર ધમકીઓ સહન કરનારુ નથી. 


  • Follow us on: