ઇન્ડિગો એરલાઇન્સ પર સરકારે મોટી કાર્યવાહી કરી છે અને ઉડાન રદ હોવાના કારણોની તપાસ કરવા માટે એક ટીમ બનાવીને એરપોર્ટ પર મોકલી છે. એરલાઇન્સે પણ પોતાનો જવાબ મંત્રાલયને મોકલી આપ્યો છે. એરલાઇન્સ વિરુદ્ધ સરકાર કડક વલણ અપનાવી રહી છે, કારણકે છેલ્લા એક અઠવાડિયાથી એરલાઇન્સની ઉડાન કેન્સલ થવાને કારણે દેશભરમાં લોકો પરેશાન થયા છે.
રિવ્યુ મીટિંગ બાદ લીધો નિર્ણય
ઇન્ડિગો એરલાઇન્સ વિરુદ્ધ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. વિન્ટર સેશન માટે એરલાઇન્સે ફ્લાઇટ શિડ્યુલમાં 5 ટકા ઘટાડો કર્યો છે. ઇન્ડિગો વર્તમાનમાં 2200થી વધારે ઉડાનનુ સંચાલન કરી રહી છે, પરંતુ મંત્રાલયે હવે એરલાઇન્સા સ્લોટ બીજી એરલાઇન્સે આપવાનો નિર્ણય કર્યો છે.મંત્રાલયે પણ દરેક એરલાઇન્સ સાથે રિવ્યુ મીટિંગ કર્યા બાદ નિર્ણય કર્યો છે.જેથી ભવિષ્યમાં ફરી વખત આવુ સંકટ કોઇ અન્ય એરલાઇન્સ સામે ઉભુ ન થાય.
