લેન્ડ ફોર જોબ મામલે લાલુ યાદવની અરજી પર સુનાવણીનો સુપ્રિમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે.  લાલુ યાદવે હાઇકોર્ટના આદેશ પર રોક લગાવવાની અરજી કરી હતી. તે અરજી પર સુનાવણી કરવાનો સુપ્રિમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે હાઇકોર્ટની સુનાવણીમાં કોઇ હસ્તક્ષેપ નહી કરાય. સુપ્રિમ કોર્ટે સુનાવણી જલ્દી કરવાનો નિર્દેશ આપ્યો છે. હાઇકોર્ટમાં સુનાવણી યથાવત રહેશે. 


શું કહ્યું કોર્ટે ? 

આરજેડીના વડા અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે નોકરી માટે જમીન કૌભાંડમાં નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની અને ટ્રાયલ રોકવાની તેમની માંગણી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે હાલમાં હાઈકોર્ટમાં પેન્ડિંગ આ કેસમાં દખલ કરશે નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ટ્રાયલ કાર્યવાહી પર કોઈ સ્ટે આપવામાં આવશે નહીં અને કેસની સુનાવણી ચાલુ રહેશે.

કોર્ટમાં હાજર રહેવાથી રાહત

જોકે કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે હાઈકોર્ટ આ કેસની ઝડપથી સુનાવણી કરે. આ ઉપરાંત, કોર્ટે એમ પણ કહ્યું કે લાલુ યાદવની ઉંમર અને તેમની જાહેર સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમને ટ્રાયલ દરમિયાન વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવાની જરૂર રહેશે નહીં.

  • Follow us on: