સરકારે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવા માટે *નારી શક્તિ વંદન અધિનિયમ* (મહિલા અનામત કાયદો) રજૂ કર્યો હતો. આ બિલ પસાર થયા છતાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત હજુ સુધી લાગુ કરવામાં આવ્યું નથી. હવે, સરકાર આ કાયદાને લાગુ કરવા અને શક્ય તેટલી વહેલી તકે મહિલાઓ માટે બેઠકો અનામત રાખવાની તૈયારી કરી રહી છે.
273 બેઠકો મહિલા માટે અનામત
મહિલાઓને અનામત આપવા માટે સરકાર હવે સંસદમાં એક સુધારો બિલ રજૂ કરશે. આ બિલમાં લોકસભા મતવિસ્તારોના સીમાંકન અને બેઠકોની સંખ્યા વધારવા માટે 2011 ની વસ્તી ગણતરીનો ઉપયોગ કરવાની જોગવાઈ શામેલ હશે. આ સુધારા બિલ પસાર થયા પછી નવા સીમાંકન કવાયત હેઠળ લોકસભા બેઠકોની સંખ્યા 543 થી વધીને 816 થવાની ધારણા છે. 816 સભ્યો ધરાવતી લોકસભામાં, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.
નારી શક્તિ અભિનંદન અધિનિયમ બિલમાં સંશોધન થશે
નોંધનીય છે કે *નારી શક્તિ વંદન અધિનિયમ* - જે સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. તેમાં જોગવાઇ હતી કે નવી જનગણના અને પરિસીમ બાદ તે લાગુ થશે. હવે સૂત્રોનું કહેવુ છે કે સરકાર આ અઠવાડિયે નારી શક્તિ અભિનંદન અધિનિયમ બિલમાં સંશોધન લઇને આવશે. આ સંશોધન એટલા માટે લાવવામાં આવી રહ્યું છે કે જેનાથી 2029 લોકસભા ચૂંટણી સુધી મહિલા અનામત લાગુ થઇ શકે.
સંવિધાન સંશોધન લાવવાની પણ તૈયારી
સરકારની તૈયારી નારી શક્તિ વંદન અધિનિયમમાં સંશોધનની સાથે જ સંવિધાન સંશોધન લાવવાની પણ છે. આ સંવિધાન સંશોધન એટલા માટે લાવવામાં આવશે કે જેનાથી 2011 ની વસ્તી ગણતરીના આધારે લોકસભામાં બેઠકોની સંખ્યામાં વધારો થશે. 2029 ની સામાન્ય ચૂંટણીઓમાં મહિલા અનામતનો અમલ શક્ય બનશે. 2011ની વસ્તી ગણતરીના આધારે, 2029 ની ચૂંટણી માટે લોકસભામાં બેઠકોની સંખ્યા 543 થી વધારીને 816 કરી શકાય છે. આમાંથી 273 બેઠકો મહિલાઓ માટે અનામત રાખી શકાય છે.
ગૃહમંત્રીએ વિપક્ષી નેતાઓ સાથે વાતચીત કરી
સરકારે આ બાબતે વિપક્ષી પક્ષોના નેતાઓ સાથે પણ પરામર્શ શરૂ કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે મહિલા અનામત બિલમાં પ્રસ્તાવિત સુધારા અંગે શિવસેના (UBT) અને NCP (શરદ પવાર જૂથ) જેવા વિપક્ષી પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરી છે. શરૂઆતમાં, ગૃહમંત્રીએ નાના વિપક્ષી પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. કોંગ્રેસ જેવા મુખ્ય વિપક્ષી પક્ષોના નેતાઓ અને અન્ય મોટા પક્ષો સાથે ચર્ચા હજુ બાકી છે.