વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે ઉમરગામ અને આસપાસના ઔદ્યોગિક પટ્ટાના હિતમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને દિલ્હી ખાતે મુલાકાત કરી મહત્વની માંગણીઓ રજૂ કરી છે. ખાસ કરીને ઉમરગામ-સંજાણ વિસ્તારના હજારો શ્રમિકો અને મુસાફરોની સુવિધા માટે લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવા પર ભાર મૂક્યો છે, ઉમરગામ-સંજાણ માટે ટ્રેનોના સ્ટોપેજની માગ કરી છે.
વિવિધ ટ્રેનોના સ્ટોપેજ આપવા માટેની માગ
વલસાડ-ઉમરગામ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે. ઉદ્યોગો અને જાહેર જનતાની સુવિધા માટે વિવિધ ટ્રેનોના સ્ટોપેજ આપવા માટેની માગ કરવામાં આવી છે.













