વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે ઉમરગામ અને આસપાસના ઔદ્યોગિક પટ્ટાના હિતમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને દિલ્હી ખાતે મુલાકાત કરી મહત્વની માંગણીઓ રજૂ કરી છે. ખાસ કરીને ઉમરગામ-સંજાણ વિસ્તારના હજારો શ્રમિકો અને મુસાફરોની સુવિધા માટે લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવા પર ભાર મૂક્યો છે, ઉમરગામ-સંજાણ માટે ટ્રેનોના સ્ટોપેજની માગ કરી છે.


​વિવિધ ટ્રેનોના સ્ટોપેજ આપવા માટેની માગ

વલસાડ-ઉમરગામ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે. ઉદ્યોગો અને જાહેર જનતાની સુવિધા માટે ​વિવિધ ટ્રેનોના સ્ટોપેજ આપવા માટેની માગ કરવામાં આવી છે.

ઉમરગામ (UBR) સ્ટેશન પર સ્ટોપેજ

  • ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ (12921 / 12922) ​
  • અવધ એક્સપ્રેસ (19037/ 19038) ​
  • રાણકપુર એક્સપ્રેસ (14707 / 14708) ​

સંજાણ (SJN) સ્ટેશન પર સ્ટોપેજ

​સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ (19217 / 19218)

  • ​ઉધના-વિરાર મેમુ ટ્રેનથી શ્રમિકોને થશે ફાયદો

​ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકો અને દૈનિક અપ-ડાઉન કરતા મુસાફરો માટે સાંસદે ઉધના અને વિરાર વચ્ચે નવી મેમુ (MEMU) ટ્રેન શરૂ કરવા પણ ભારપૂર્વક રજૂઆત કરી છે. આ ટ્રેન શરૂ થવાથી ઉમરગામ અને સંજાણના પટ્ટામાં કામ કરતા હજારો કામદારોની અવરજવર સરળ બનશે.

ઓવર બ્રિજના કામો બાબતે ગતિ આપવા પણ માગ

​અંડરપાસ અને બ્રિજની કામગીરી બાબતે સાંસદ ધવલભાઈ પટેલે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૌશનવજીને જણાવ્યું કે, ઉદવાડા (UVD) અને ડુંગરી (DGI) ખાતે અંડરપાસનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. આ ઉપરાંત વલસાડ જિલ્લાના છીપવાડ, મોગરાવાડી અને ગુંદલાવ ખાતેના ઓવર બ્રિજ (ROB) ના કામો બાબતે ગતિ આપવા પણ માગ કરી છે.


આ પણ વાંચો - Valsad: ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણથી રોષ, સાંસદ અને ધારાસભ્યએ પોલીસ વડા સમક્ષ કડક રજૂઆત કરી


  • Follow us on: