મિર્ઝાપુર રેલ્વે સ્ટેશન પર બ્રહ્મપુત્ર એક્સપ્રેસ પકડવા આવેલા એક CRPF જવાનનો ટિકિટને લઈને કાવડ યાત્રાળુઓ સાથે બોલાચાલી થઈ ગઈ હતી. જેમાં આ ઝગડો મારામારીમાં ફેરવાઈ ગયો હતો. કાવડ યાત્રાળુઓએ જવાનને નીચે જમીન પર સૂવડાવી દીધા બાદ લાતોથી માર માર્યા હતો. માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી રેલ્વે પોલીસે 5 થી 7 કાવડ યાત્રાળુઓની ધરપકડ કરી છે અને તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના અંગે હાલ તપાસ ચાલી રહી છે. 


મળતી માહિતી પ્રમાણે યુપીના મિર્ઝાપુર રેલ્વે સ્ટેશન પર શનિવારે કાવડ યાત્રા પર નીકળેલા કેટલાક યુવાનોએ CRPF જવાનને ઢોર માર માર્યો હતો. આ જવાન બ્રહ્મપુત્ર એક્સપ્રેસ પકડવા માટે ટિકિટ લઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની. આ ઝગડો ધીમે ધીમે હીંસામાં હિંસામાં ફેરવાઈ ગયો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ઝગડા દરમિયાન કાવડીઓએ જવાનને ઘેરી લીધો અને રેલ્વે સ્ટેશનના ફ્લોર પર સૂવડાવી દીધો. ત્યાર બાદજ તેમણે તેને પછી લાતો અને મુક્કાથી માર માર્યો. જવાન મદદ માટે બૂમો પાડતો રહ્યો પરંતુ ભીડમાં હાજર કેટલાક લોકો વીડિયો બનાવતા રહ્યા.

આ ઘટના અંગે જાણ થતા રેલ્વે પોલીસ તાત્કાલિક ઘટના સ્તળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. આ લડાઈ સાથે જોડાયેલા 5 થી 7 કાવડ યાત્રાળુઓની ધરપકડ કરવામાં આવી ચે અને તેમની વિરુદ્ધ શાંતિ ભંગ, અને ખરાબ વર્તનને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે. 


  • Follow us on: