નવી દિલ્હીમાં યોજાયેલી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં બંને દેશો વચ્ચેના સંબંધોએ નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રથમ મહિલા વડા પ્રધાન સના તાકાઇચીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં ગાર્ડ ઓફ ઓનર સાથે પીએમ તાકાઇચીને આવકારવામાં આવ્યા હતા. પીએમ મોદીએ પીએમ તાકાઇચીને પોતાના 'બહેન' તરીકે સંબોધીને બંને દેશો વચ્ચેના અતૂટ વિશ્વાસ અને મૈત્રીપૂર્ણ સંબંધોને નવા સ્તરે પહોંચાડ્યા છે.

આર્થિક ભાગીદારી અને 10 અબજ ડોલરનું રોકાણ

આ સમિટમાં ભારત અને જાપાન વચ્ચે 120 થી વધુ નવા વ્યાપાર કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેના પરિણામે ભારતમાં 10 અબજ ડોલરથી વધુનું સીધું જાપાની રોકાણ આવશે. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે ભારતની વિશાળ ક્ષમતા અને જાપાનની ગુણવત્તાયુક્ત ટેકનોલોજીનું મિશ્રણ વૈશ્વિક સ્તરે સસ્તું અને આધુનિક આરોગ્યસંભાળ મોડેલ પૂરું પાડવામાં મદદરૂપ થશે. આગામી 10 વર્ષમાં જાપાન પાસેથી 10 ટ્રિલિયન યેનનું રોકાણ આકર્ષવાનું અને ભારતમાં કાર્યરત જાપાની કંપનીઓની સંખ્યા બમણી કરવાનું લક્ષ્ય પણ નક્કી કરવામાં આવ્યું છે.

બાયોગેસ અને ગ્રામીણ વિકાસ પર ભાર

ઉર્જા સુરક્ષાને પ્રાધાન્ય આપતા, બંને દેશોએ 'ભારત-જાપાન બાયોગેસ પહેલ' શરૂ કરી છે. આ અંતર્ગત દેશભરમાં 1000 બાયોગેસ અને ઓર્ગેનિક ખાતરના પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માત્ર ઉર્જાના સ્ત્રોતોને જ પ્રોત્સાહન નહીં આપે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની આવકમાં વધારો કરશે અને રોજગારીની નવી તકો ઉભી કરીને ટકાઉ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
https://twitter.com/narendramodi/status/2072590471310807363

આર્થિક સુરક્ષા અને આધુનિક ટેકનોલોજી

આ સમિટનો સૌથી મહત્વનો મુદ્દો આર્થિક સુરક્ષા માટેનો 'સંયુક્ત રોડમેપ' છે. બંને દેશો સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ ટેકનોલોજી અને એડવાન્સ્ડ મટીરિયલ જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સપ્લાય ચેઇનને સુરક્ષિત અને મજબૂત બનાવવા માટે સંમત થયા છે. આ સહયોગ માત્ર બંને દેશોની અર્થવ્યવસ્થાને જ વેગ નહીં આપે, પરંતુ ભવિષ્યની હાઇ-ટેક જરૂરિયાતોને પૂરી કરવામાં વૈશ્વિક નેતા તરીકે બંને દેશોની સ્થિતિને મજબૂત બનાવશે.Amarnath Yatra : આતંકીઓના નિશાના પર અમરનાથ યાત્રા, હુમલાનું ષડયંત્ર, સરહદ પર હાઇ એલર્ટ

આ પણ વાંચોઃ Amarnath Yatra : આતંકીઓના નિશાના પર અમરનાથ યાત્રા, હુમલાનું ષડયંત્ર, સરહદ પર હાઇ એલર્ટ