કહેવાય છેને નસીબ ક્યાં અને ક્યારે કામ કરી જાય તે કોઇ નથી જાણતું. આવુ જ એમપીમાં રહેનારા એક શ્રમિક સાથે થયુ છે. આ શ્રમિકનું નામ માધવ. માધવની કિસ્મત એવી રાતો રાત પલટી કે એક જ દિવસમાં તે લખપતિ બની ગયો. આવો જાણીએ એવો તો શું થયુ રાતો રાત..
વાત છે કૃષ્ણા કલ્યાણપુર પટ્ટીની હીરાની ખાણની. અહીં એક આદિવાસી શ્રમિક માધવ ખાણમાં પાવડા વડે ખોદકામ કરી રહ્યો હતો ત્યારે 11 કેરેટ અને 95 સેન્ટની કિંમતનો હીરો મળી આવ્યો. આ કોઇ નાનો મોટો હીરો ન હતો. તેની અંદાજિત કિંમત 40 લાખ રૂપિયાથી વધારે છે. કહેવામાં આવી રહ્યું છે કે માધવ હજી તો પહેલીવાર જ ખોદકામ માટે ગયો હતો ત્યાં જ તેની કિસ્મત ચમકી અને માધવ લખપતિ બની ગયો.













