પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે કારણ કે ભાજપે નંદીગ્રામ પેટાચૂંટણી માટે એક અત્યંત ભાવનાત્મક અને વ્યૂહાત્મક પગલું ભર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણી માટે હસિરાની રથને પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. હસિરાની રથ એ જ ચંદ્રનાથ રથની માતા છે, જે અગાઉ અગ્રણી નેતા સુવેન્દુ અધિકારીના પર્સનલ સેક્રેટરી (પીએ) તરીકે ફરજ બજાવતા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામો અને તે પછીના થોડા જ સમયમાં ચંદ્રનાથ રથની કરુણ હત્યા કરવામાં આવી હતી, જેણે રાજ્યભરમાં ભારે રાજકીય હલચલ મચાવી દીધી હતી.

ચંદ્રનાથ રથની હત્યા અને ચૂંટણી સાથે જોડાણ

ચંદ્રનાથ રથની શંકાસ્પદ હત્યાનો મામલો તે સમયે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. હવે તેમની માતા હસિરાની રથને ચૂંટણીના રણમાં ઉતારીને ભાજપે ફરી એકવાર તે દુઃખદ ઘટનાને અને ચંદ્રનાથના નામની રાજકીય ચર્ચાને તાજી કરી દીધી છે. રાજકીય નિષ્ણાતોના મતે, આ બેઠક પર ભાજપનો આ નિર્ણય માત્ર એક ઉમેદવારની પસંદગી નથી, પરંતુ તે એક મજબૂત રાજકીય સંદેશ પણ છે. નંદીગ્રામ વિધાનસભા મતવિસ્તાર હંમેશાંથી બંગાળની રાજનીતિનું કેન્દ્રબિંદુ રહ્યો છે, અને અહીં યોજાનારી આ પેટાચૂંટણી તમામ પક્ષો માટે ખૂબ જ પ્રતિષ્ઠાનો વિષય બની ગઈ છે.

હસિરાની ઉમેદવારી જાહેર થતા રાજકારણમાં ગરમાવો

હસિરાની રથની ઉમેદવારી જાહેર થતાં જ નંદીગ્રામના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને તમામની નજર આ હાઇ-વોલ્ટેજ બેઠક પર ટકેલી છે. ભાજપ આ ચૂંટણીમાં સ્થાનિક લાગણીઓ અને કાયદો-વ્યવસ્થાના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને મેદાનમાં ઉતરી રહી છે, ત્યારે શાસક પક્ષ માટે પણ આ બેઠક જીતવી એક મોટો પડકાર સાબિત થશે.

આ પણ વાંચોઃ US Iran War: તેલના ભાવ સાવ ઘટી જશે, ડોનાલ્ડ ટ્રમ્પના દાવાએ સૌને ચોંકાવી દીધા