પીએમ મોદીએ આજે મહારાષ્ટ્રમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેઓએ સંબોધન કરતા જણાવ્યું કે આજે દેશમાં 160 એરપોર્ટ છે. સૌથી વાઇબ્રન્ટ શહેરોમાંથી એક મુંબઇ છે.પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારત સૌથી યુવા દેશ છે. તેમણે મુંબઇ હુમલાને લઇને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે મુંબઇમાં જ્યારે હુમલો થયો ત્યારે કોંગ્રેસે ઘૂંટણિયા ટેકવી દીધા.પાકિસ્તાન પર કોઇ વળતો જવાબ કે વળતો હુમલો ન કર્યો. 


પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર

પીએમ મોદીએ કહ્યું કે અત્યારનું ભારત ઘરમાં ઘુસીને હુમલો કરે છે. ઓપરેશન સિંદૂરથી દુનિયાએ દેશની સેનાનું પરાક્રમ જોયુ. તે વખતે વિદેશી દબાણમાં આવીને કોઇ કાર્યવાહી કરી ન હતી. પરંતુ આજનું ભારત તો ધારદાર જવાબ આપે છે.  

કોંગ્રેસની નબળાઈએ આતંકવાદીઓને મજબૂત બનાવ્યા- પીએમ મોદી

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે  મુંબઈ ફક્ત આર્થિક રાજધાની જ નહીં, પણ ભારતના સૌથી ગતિશીલ શહેરોમાંથી એક છે. આ જ કારણ છે કે 2008 માં આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો. પરંતુ તત્કાલીન કોંગ્રેસ સરકારે નબળાઈનો સંદેશ આપ્યો હતો. હાલમાં જ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહમંત્રીએ ખુલાસો કર્યો છે કે મુંબઈ હુમલા પછી, આપણા સુરક્ષા દળો પાકિસ્તાન પર હુમલો કરવા માટે તૈયાર હતા  પરંતુ બીજા દેશના દબાણને કારણે, તે સમયે કોંગ્રેસ સરકારે આપણા સુરક્ષા દળોને રોકી દીધા હતા. કોંગ્રેસે જણાવવાની જરૂર છે કે વિદેશી શક્તિના દબાણમાં કોણે આ નિર્ણય લીધો. દેશને જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. કોંગ્રેસની નબળાઈએ આતંકવાદીઓને મજબૂત બનાવ્યા. દેશને વારંવાર જીવનું બલિદાન આપીને આ ભૂલની કિંમત ચૂકવવી પડી છે. આપણા માટે, રાષ્ટ્રીય સુરક્ષા અને આપણા નાગરિકોની સલામતી કરતાં વધુ મહત્વનું કંઈ નથી.

  • Follow us on: