ભારતીય વાયુસેનાના કાર નિકોબાર એરબેઝને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. અંદમાન અને નિકોબાર કમાન્ડ હેઠળ આવનારા આ મહત્વપૂર્ણ બેઝનો રનવે નવો બનાવવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રાલયના સુત્રો મુજબ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ 2 જાન્યુઆરી 2026એ આ અપગ્રેડેડ રનવેનું ઉદ્ઘાટન કરશે.
શું છે રનવેની ખાસિયત?
આ બેઝ અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં સ્થિત છે. રણનીતિક રીતે આ ખુબ જ મહત્વનું બેઝ છે. અહીંથી મલક્કા ઝલડમરૂમધ્ય પર નજર રાખવામાં આવી શકે છે, જે દુનિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક છે. કાર નિકોબાર એરફોર્સ સ્ટેશનનો રન વે લગભગ 2717 મીટર લાંબો અને 43 મીટર પહોળો છે. જે કોંક્રીટથી બનેલો છે.













