પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રિનિદાદ અને ટોબેગોનો સર્વોચ્ચ નાગરિક સન્માન 'ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો' થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ તેમને કોઈ દેશ તરફથી મળેલ 25મો ઈન્ટરનેશનલ એવોર્ડ છે, જે તેમને તેમની વૈશ્વિક નેતૃત્વ ક્ષમતા, ભારતીય ડાયસ્પોરા સમુદાય સાથે જોડાણ અને કોવિડ-19 રોગચાળા દરમિયાન કરવામાં આવેલા માનવતાવાદી પ્રયાસો માટે આપવામાં આવ્યો છે. તેમને ત્રિનિદાદની બે દિવસીય મુલાકાત દરમિયાન આ સન્માન આપવામાં આવ્યું
પુરસ્કાર પ્રાપ્ત કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ સન્માન ભારત અને ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની ઊંડી અને શાશ્વત મિત્રતાનું પ્રતીક છે. તેમણે કહ્યું, 'હું આ સન્માનને 140 કરોડ ભારતીયો વતી સહિયારા ગૌરવ તરીકે સ્વીકારું છું.' પ્રધાનમંત્રી મોદીને મળેલું આ સન્માન માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી પરંતુ તે ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા અને મજબૂત રાજદ્વારીતાનો પુરાવો છે.













