પેંગ્વિને સોનિયા ગાંધીની હસ્તપ્રતના કેટલાક ભાગોમાં ફેરફારોની માંગ કરી હતી. જોકે, સોનિયા ગાંધીએ પુસ્તકમાં કોઈ ફેરફાર કરવાનો ઇનકાર કર્યો હતો.

સોનિયા ગાંધીના જીવનની વાર્તા

સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે આ પુસ્તક તેમના જીવનની વાર્તા છે અને તેઓ એવા કોઈપણ ફેરફારો ઇચ્છતા નથી જે હકીકતો અથવા તેમના દ્રષ્ટિકોણને વિકૃત કરે. આ પછી, પેંગ્વિન ઇન્ડિયા સાથેનો તેમનો કરાર રદ કરવામાં આવ્યો હતો. જોકે, સોનિયા ગાંધીના પુસ્તકનું આંતરરાષ્ટ્રીય સંસ્કરણ પેંગ્વિન રેન્ડમ હાઉસની પેટાકંપની આલ્ફ્રેડ એ. નોફ દ્વારા પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે.

આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દૌર 

પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા દ્વારા પુસ્તક પ્રકાશિત કરવાનો ઇનકાર કર્યા પછી, કોંગ્રેસના નેતાઓએ આ પગલાને રાજકીય દબાણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો. જોકે, વિવાદ વધ્યા પછી, પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, તે કોઈ રાજકીય દબાણ હેઠળ નથી અને ફક્ત એટલા માટે પાછું ખેંચી લીધું છે કારણ કે તેઓએ તેમના સૂચવેલા ફેરફારો સ્વીકાર્યા નથી.

https://twitter.com/HarperCollinsIN/status/2095761345547559128

હાર્પરકોલિન્સ ઇન્ડિયાનું ટ્વીટ 

પેંગ્વિને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, હકીકત તપાસવી અને સંપાદકીય સૂચનો આપવા એ કોઈપણ પ્રકાશકની સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે અને તેઓ પુસ્તક પ્રકાશિત કરવા તૈયાર છે. જોકે, ગુપ્તતાનો હવાલો આપતા, તેઓએ વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. હાર્પરકોલિન્સે પુસ્તકના પ્રકાશન વિશે ટ્વિટ કર્યું. તેના X પેજ પર પોસ્ટ કરાયેલ ટ્વિટમાં, હાર્પરકોલિન્સે લખ્યું હતુ કે, હાર્પરકોલિન્સ ઇન્ડિયા સોનિયા ગાંધીનું પુસ્તક, 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ' પ્રકાશિત કરશે. આ લાંબા સમયથી રાહ જોવાતી આત્મકથા ભારતમાં 10 નવેમ્બર 2026ના રોજ પ્રકાશિત થશે. આપણા સમયની સૌથી અપેક્ષિત રાજકીય આત્મકથાઓમાંની એક, તે પ્રેમ, ઓળખ, ફરજ અને સંબંધની આકર્ષક અને ઊંડી વ્યક્તિગત વાર્તા છે. 

આ પણ વાંચોઃ ઈટાલીના પીએમ Giorgia Meloniને ઐતિહાસિક રેકોર્ડ બદલ PM Modiએ આપ્યા અભિનંદન