પુણેના તલેગામ ક્ષેત્રમાં આવેલા કુંડમાલ પાસે ઇન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો છે. આ પુલ જુનો હતો. અને ભારે વરસાદ તથા પવનના કારણે આ પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 20થી 30 લોકો તણાયા હોવાની આશંકા છે. તો બચાવ કાર્યમાં 7 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તો 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. પુણેમાં ભારે વરસાદના કારણે જુના પુલ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. જુનો પુલ હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યુ હતુ. નદીમાં પૂર આવ્યો હોવાથી લોકો આ પુલ પર એકત્ર થયા હતા. તે દરમિયાન ઇન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો.
પુણેના તલેગામમાં મોટી દુર્ઘટના













