હિમાચલ પ્રદેશમાં બુધવારે પણ ચોમાસાનો પ્રકોપ ચાલુ રહ્યો. છેલ્લા 24 કલાકમાં વાદળ ફાટવાની 10 વધુ ઘટનાઓ નોંધાઈ છે. દરમિયાન, અધિકારીઓએ વધુ બે મૃતદેહ બહાર કાઢ્યા છે, જેના કારણે વરસાદ અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક 10 થયો છે.તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશનો મંડી જિલ્લો આનાથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. અહીં અચાનક પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘણી ઘટનાઓ જોવા મળી હતી, જેના કારણે મંડીમાં ઘણી તબાહી થઈ છે. આ વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે બિયાસ નદીનું પાણી પણ ઉપર તરફ વધી રહ્યું છે. આ કારણે મંડી જિલ્લાને પુરનો સામનો કરવો પડી રહ્યો છે. 


હવામાન વિભાગનું એલર્ટ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્ય માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં આગામી થોડા દિવસોમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂરની ચેતવણી આપવામાં આવી છે. અધિકારીઓએ રહેવાસીઓને સતર્ક રહેવા અને સંવેદનશીલ વિસ્તારોમાં મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપી છે.વાદળ ફાટવાને કારણે મંડીના થુનાગ, કરસોગમાં કુટ્ટી બાયપાસ, કારસોગમાં પુરાણા બજાર, કારસોગમાં રિકી, ગોહરમાં સ્યાંજ, ગોહરમાં બસ્સી, ગોહરમાં તલવારા, ધરમપુરમાં સ્યાથી અને ધરમપુરમાં ભાદરના સહિત અનેક વિસ્તારોમાંથી નુકસાનની જાણ કરવામાં આવી છે.

ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે હિમાચલ પ્રદેશમાં બુધવારે સવારે 10 વાગ્યા સુધી 282 રસ્તા બંધ રહ્યા હતા. આ ઉપરાંત, 1361 વીજળી ટ્રાન્સફોર્મર અને 639 પાણી પુરવઠા યોજનાઓને અસર થઈ છે. મંડી જિલ્લામાં સૌથી વધુ 182 રસ્તા બંધ થયા હોવાનું જાણવા મળ્યું છે.આ પછી, કુલ્લુમાં 37, શિમલામાં 33 અને સિરમૌરમાં 12 રસ્તા બંધ છે. તમને જણાવી દઈએ કે 20 જૂને ચોમાસાની ઋતુની શરૂઆતથી, વાદળ ફાટવા, પૂર અને ભૂસ્ખલન જેવી ઘટનાઓને કારણે 1 જુલાઈ સુધીમાં 51 લોકોનાં મોત થયા છે.

  • Follow us on: