રાજસ્થાનના બીકાનેરમાં પ્રસુતિ બાદ મહિલાઓની કિડની ફેલ થવાના સંવેદનશીલ મામલે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખીંવસરના એક નિવેદને મોટો રાજકીય ભૂકંપ સર્જ્યો છે. વિપક્ષી પક્ષ કોંગ્રેસે આ ટિપ્પણીને અત્યંત અસંવેદનશીલ અને માતૃત્વનું અપમાન ગણાવીને મંત્રીના રાજીનામા અને માફીની માંગ સાથે ઉગ્ર જોવા મળ્યો હતો.
સ્વાસ્થ્ય મંત્રીનું ચોંકાવનારું નિવેદન
બીકાનેરની પ્રિન્સ વિજય સિંહ મેમોરિયલ (PBM) હોસ્પિટલમાં આ અઠવાડિયે પાંચ સગર્ભા મહિલાઓની કિડની ફેલ થવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો હતો.આ પીડિત મહિલાઓની મુલાકાત લેવા પહોંચેલા સ્વાસ્થ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખીંવસરે હોસ્પિટલના પ્રિન્સિપાલ સામે જ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.મીડિયા અને વિપક્ષ પર નિશાન સાધતા વધુમાં ઉમેર્યું કે,અમારા હેલ્થકેર વર્કર્સ દરરોજ હજારો દર્દીઓના જીવ બચાવે છે,પરંતુ તેના પર કોઈનું ધ્યાન જતું નથી.જો 1000 દર્દીઓમાંથી બેના મોત થાય,તો તમે માત્ર મૃત્યુદરને જ હાઈલાઈટ કરો છો.જે બાકીના દર્દીઓ સાજા થઈને ઘરે જાય છે,તેમની વાત કોઈ કરતું નથી.
કોંગ્રેસે માફીની માંગ કરી
કોંગ્રેસે આ નિવેદનોને અસંવેદનશીલ ગણાવ્યા.વિપક્ષી નેતા ટીકારામ જુલીએ કહ્યું,આરોગ્ય મંત્રીની ટિપ્પણીઓ માત્ર અસંવેદનશીલતાની પરાકાષ્ઠા જ નથી,પરંતુ માતૃત્વનું ઘોર અપમાન પણ છે.તેમણે વધુમાં કહ્યું,મંત્રીએ સમજવું જોઈએ કે આવા સમયે, પ્રસૂતિ પીડાતી મહિલાઓને ગાવા અને નાચવા બદલ ટોણાનો સામનો કરવાની જરૂર નથી,પરંતુ તેમને હોસ્પિટલોમાં સલામત ડિલિવરી અને સારી આરોગ્ય સુવિધાઓની જરૂર છે.જુલીએ કહ્યું,રાજ્યમાં સરકારી હોસ્પિટલોની સ્થિતિ એટલી બગડી ગઈ છે કે પ્રસૂતિ પીડાતી મહિલાઓને સ્ટ્રેચર પણ મળી શકતું નથી. આરોગ્ય મંત્રી પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે બેજવાબદાર નિવેદનો આપી રહ્યા છે, જે અત્યંત શરમજનક છે.તેમણે આ નિવેદન માટે રાજ્યના લોકો અને મહિલાઓની તાત્કાલિક માફી માંગવી જોઈએ.તેમણે વધુમાં કહ્યું કે ભાજપના નેતાઓ માટે મહિલાઓ વિશે આવી શરમજનક અને અપમાનજનક ટિપ્પણીઓ કરવી નવી વાત નથી; આવું વર્તન તેમની બૌદ્ધિક નાદારી દર્શાવે છે.
કોંગ્રેસના કાર્યકરોએ કર્યો હતો ઉગ્ર વિરોધ
રાજ્યમાં કથળતી આરોગ્ય પ્રણાલી અને મંત્રીના નિવેદનના વિરોધમાં ગુરુવારે કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી ભારે પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ હોસ્પિટલ પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે તેમની આકરી ઝપાઝપી અને ધક્કામુક્કી થઈ હતી. વિપક્ષે ચીમકી આપી છે કે જ્યાં સુધી સ્વાસ્થ્ય મંત્રી જનતા અને મહિલાઓની જાહેરમાં માફી નહીં માંગે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.
આ પણ વાંચો - Weather Explainer: પ્રશાંત મહાસાગરમાં અલનીનોની શરૂઆત થઈ, જાણો ભારતનો IOD તેને કેવી રીતે રોકશે