રાજનાથ સિંહ 21 એપ્રિલથી જર્મનીના ત્રણ દિવસીય સત્તાવાર પ્રવાસે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારત અને જર્મની વચ્ચેના રક્ષા ઉદ્યોગ સહકારને વધુ મજબૂત બનાવવાનો છે, ખાસ કરીને સબમરીન ખરીદી પ્રોજેક્ટ અને ટેકનોલોજી ટ્રાન્સફર પર કેન્દ્રિત ચર્ચાઓ થવાની છે.


ભારત 6 સબમરીન બનાવવા ઈચ્છે છે

રક્ષા મંત્રાલયના જણાવ્યા મુજબ આ મુલાકાત દરમિયાન ભારતની મહત્વપૂર્ણ Project-75I સબમરીન યોજના અંગે વિસ્તૃત ચર્ચા થશે. ભારત આ પ્રોજેક્ટ હેઠળ 6 આધુનિક એર ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (AIP) સબમરીન બનાવવા ઈચ્છે છે, જે લાંબા સમય સુધી પાણી નીચે રહી શકે છે. જર્મનીની કંપની ThyssenKrupp Marine Systems અને ભારતની Mazagon Dock Shipbuilders Limited સંયુક્ત રીતે આ ડીલ માટે દાવેદાર છે.

અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે

22 એપ્રિલે બર્લિનમાં રક્ષા મંત્રી Boris Pistorius સાથે રાજનાથ સિંહની સત્તાવાર બેઠક યોજાશે, જેમાં ટેકનોલોજી ટ્રાન્સફર, ભારતમાં ઉત્પાદન અને પ્રોજેક્ટની સમયસીમા જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. ભારત ઇચ્છે છે કે આ સબમરીનોનું ઉત્પાદન સંપૂર્ણ રીતે દેશમાં જ થાય અને આધુનિક ટેકનોલોજીનો લાભ મળે.

23 એપ્રિલે તેઓ જર્મન ડિફેન્સ ઇન્ડસ્ટ્રીના મુખ્ય સીઈઓ અને ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં ‘મેક ઇન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવશે. ભારત જર્મન કંપનીઓને ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં સ્થિત ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં રોકાણ કરવા આમંત્રિત કરશે.

24 એપ્રિલે પ્રવાસ પૂર્ણ થશે

આ ઉપરાંત ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં સમુદ્રી સુરક્ષા, સંયુક્ત સૈન્ય તાલીમ, સંશોધન અને વિકાસ તથા સાયબર અને સ્પેસ સુરક્ષા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની છે. બંને દેશો ચીનની વધતી ગતિવિધિઓને લઈને ચિંતિત હોવાથી રક્ષા સહકાર વધારવા પર ભાર મૂકાઈ રહ્યો છે. 24 એપ્રિલે પ્રવાસ પૂર્ણ થશે, જેમાં રાજનાથ સિંહ જર્મનીના મહત્વપૂર્ણ રક્ષા સંસ્થાઓ અને થિંક ટેન્ક્સની મુલાકાત લેશે અને ભવિષ્યના સહકાર માટે નવા માર્ગો શોધવામાં આવશે.

આ પણ વાંચો : Americaના વિદેશ મંત્રી Marco Rubio આવતા મહિને ભારતની મુલાકાતે, કરારોને અપાશે અંતિમ ઓપ


  • Follow us on: