કેરળના કોચી ખાતે એક કાર્યક્રમને સંબોધિત કરતા રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, સરકાર નાગરિકોમાં સ્થિતિસ્થાપકતા, કરુણા, નવીનતા અને રાષ્ટ્રીય ઓળખની ભાવના વિકસાવવા પર વિશેષ ધ્યાન આપી રહી છે, જેથી 'વિકસિત ભારત @2047' ના સ્વપ્નને સાકાર કરી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સદીઓ જૂના મૂલ્યોમાંથી પ્રેરણા લઈને સુરક્ષા, સમાવેશી સમૃદ્ધિ અને વૈશ્વિક નેતૃત્વના માર્ગ પર અગ્રેસર છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા 12 વર્ષોમાં દેશે વૈશ્વિક પડકારોનો મક્કમતાથી સામનો કરીને વિકાસની નવી કેડી કંડારી છે.

સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા અને આંતરિક સુરક્ષા

દેશની સુરક્ષા અને સ્વદેશી ઉત્પાદનો વિશે વાત કરતાં રક્ષામંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2014માં જે સંરક્ષણ ઉત્પાદન માત્ર 40,000 કરોડ રૂપિયા હતું, તે હવે વધીને લગભગ 1.80 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત, રક્ષામંત્રીએ ગર્વ સાથે જણાવ્યું કે, દેશની રક્ષણ નિકાસ 600 કરોડ રૂપિયાથી વધીને આશરે 40,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે, અને ભારતીય ઉપકરણો આજે આશરે 100 દેશો સુધી પહોંચી રહ્યા છે. દેશની સાર્વભૌમત્વ સામે જોખમ ઊભું કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સાથે નક્સલવાદનો પણ ખાત્મો બોલાવવામાં આવ્યો છે.

https://twitter.com/rajnathsingh/status/2100861905984532495

યુવાનોની શક્તિ અને કલ્યાણકારી યોજનાઓનું યોગદાન

દેશના યુવાનોને દેશની સૌથી મોટી તાકાત ગણાવતા રાજનાથ સિંહે જણાવ્યું કે, આજનો યુવા વર્ગ સ્ટાર્ટ-અપ્સ, યુનિકોર્ન, ડ્રોન, હાઇડ્રોજન ટ્રેન અને રોકેટ-ઉપગ્રહો બનાવી રહ્યો છે. સરકારની કરુણા અને કલ્યાણકારી નીતિઓના કારણે છેલ્લા 10 થી 12 વર્ષમાં 25 કરોડથી વધુ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે. યુપીઆઈ જેવી ડિજિટલ સિસ્ટમ આજે વિશ્વભરમાં પ્રશંસા પામી રહી છે, ત્યારે આયુષ્માન ભારત, પીએમ આવાસ યોજના, જલ જીવન મિશન અને ઉજ્જવલા યોજના જેવી યોજનાઓએ વિકાસને વધુ સમાવેશી બનાવ્યો છે.


આ પણ વાંચો: Ganesh Mahotsav 2026 : ‘બાપ્પાની ભક્તિ અને સજાવટની ઝલક હવે પહોંચશે કરોડો વાચકો સુધી!’ સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે ભક્તો માટે ગોલ્ડન ચાન્સ