અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમમાં અનિયમિતતાના આરોપો બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દાન ગણતરી અને બેન્કમાં જમા કરવાની સમગ્ર પ્રક્રિયામાં મોટા ફેરફારો કર્યા છે. ટ્રસ્ટે સુરક્ષા, દેખરેખ અને જવાબદારી વધારવા માટે કુલ 8 નવા નિયમો લાગુ કર્યા છે, જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિની શક્યતા ન રહે.
કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ
નવા નિયમો મુજબ હવે દાનપેટીથી લઈને ગણતરી રૂમ સુધી પ્રવેશ કરનાર કર્મચારીઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ફરજિયાત ફ્રિસ્કિંગ (તપાસ) કરવામાં આવશે. કર્મચારીઓને ખિસ્સા વગરના કપડાં પહેરીને જ દાન ગણતરી પ્રક્રિયામાં જોડાવાની મંજૂરી આપવામાં આવશે. મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક ગેજેટ, પર્સ અથવા બેગ સાથે પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.













