અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠના અવસર પર આજે રામ મંદિર પરિસરમાં ખાસ ધાર્મિક અનુષ્ઠાન થઇ રહ્યું છે. આ ખાસ અનુષ્ઠાનમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને યુપી સીએમ યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આ પ્રસંગે સભા સંબોધી હતી.
આપણા સૌ માટે ગર્વની વાત- રાજનાથ સિંહ
રાજનાથ સિંહે સંબોધન કરતા જણાવ્યું કે આજે આપણા બધા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે અને તે ઐતિહાસિક ક્ષણ છે જ્યારે ભગવાન રામે પોતે અવધની ભૂમિ પર પોતાના ભક્તો સમક્ષ ફરી એકવાર હાજર થવાનો સમય નક્કી કર્યો હતો. બે વર્ષ વીતી ગયા છે. આ એ જ ભૂમિ છે જે વર્ષો સુધી લોહીથી રંગાયેલી રહી, જેણે પોતાના ભગવાન રામની અસહ્ય રાહ જોવી પડી હતી.













