રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર વોટ ડિલીટ કરવાનો આરોપ લગાવતા પુરાવા રજૂ કર્યા હતા. જેને લઇને વધુ એક વિવાદ થયો છે. આ મામલે બીજેપી નેતા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો છે. તેમનું કહેવુ છે કે રાહુલ ગાંધી તથ્યોને તોડી મરોડીને રજૂ કરે છે. રાહુલ ગાંધી હજી કેટલુ જુઠ્ઠુ બોલશે. જુઠ્ઠુ બોલવી તેમની આદત છે. રાહુલ ગાંધીએ વિપક્ષના નેતાની ગરિમાને જાળવી નથી રાખી.
રાહુલ ગાંધી હોમવર્ક નથી કરતા- રવિશંકર પ્રસાદ
રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું કે તેમણે કહ્યું કે કેટલીવાર તથ્યોને તોડી મરોડીને રજૂ કરશો. તેમણે કહ્યું કે હું વધારે કડક શબ્દોનો ઉપયોગ કરી શકુ છું. પરંતુ આ અમારા કે અમારી પાર્ટીના સંસ્કાર નથી. દેશના લોકતંત્ર સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી હોમવર્ક બરાબર નથી કરતા. વધુમાં કહ્યું કે તેઓ જ્ઞાનેશ કુમાર હમણા ચીફ ઇલેક્શન કમિશનર બન્યા અને 2023ની વાતમાં તમે તેમનો ફોટો બતાવી રહ્યા છો?
રાહુલે કયા આરોપો લગાવ્યા હતા?
રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ જાણી જોઈને લોકોના નામ કાઢી રહ્યું છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચે જાણી જોઈને દલિત અને ઓબીસી મતદારોને નિશાન બનાવ્યા છે. તેમણે પોતાની પત્રકાર પરિષદમાં આના પુરાવા રજૂ કર્યા.
તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા-ચૂંટણી પંચ
રાહુલ ગાંધીના આરોપો અંગે, ચૂંટણી પંચે જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. પંચે જણાવ્યું હતું કે કોઈપણ નાગરિક દ્વારા ઓનલાઈન નાખેલ કોઈપણ મત કાઢી શકાતો નથી, જેમ કે રાહુલ ગાંધીએ ખોટું સૂચન કર્યું છે.
નામ કાઢી નાખવાનો પ્રયાસ થયો હતો - ચૂંટણી પંચ
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે જે વ્યક્તિનું નામ કાઢી નાખવામાં આવ્યું છે તેને સાંભળવાની તક આપ્યા વિના મતદારો કાઢી શકાતા નથી. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે 2023 માં, આલન્દ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોના નામ કાઢી નાખવાના કેટલાક નિષ્ફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા, અને ચૂંટણી પંચે પોતે જ આ મામલાની તપાસ માટે કેસ દાખલ કર્યો હતો. 2018માં સુભાષ ગુટ્ટેદાર (ભાજપ) અને 2023માં બીઆર પાટીલ (કોંગ્રેસ) એ આલંદ વિધાનસભા મતવિસ્તાર જીત્યો હતો.