આવા ભક્ત અસ્તિત્વમાં છે. તેનું નામ દુલાલ ગિરિ જી મહારાજ છે. તે છેલ્લા 12 વર્ષથી ઉભા છે, અને બેસવાની આ અછતને કારણે તેના પગની સ્થિતિ ચિંતાજનક છે.
શિવ ભક્તની અનોખી ભક્તિ
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દુલાલે ભગવાન શિવની ભક્તિમાં પોતાનો યુનિવર્સિટી અભ્યાસ છોડી દીધો છે. તે ભગવા વસ્ત્રો પહેરેલા જોઈ શકાય છે. જેમાં ડ્રેડલોક છે. પરંતુ જેમ જેમ કોઈ તેના પગ તરફ જુએ છે, તે ખલેલ પહોંચાડે છે. એવું માનવામાં આવે છે કે આ રક્ત પરિભ્રમણ ક્ષતિગ્રસ્ત થવાને કારણે છે. દુલાલ ગિરિ જી મહારાજે આવું કેમ કર્યું? જવાબ એ છે કે તે ભગવાન શિવને એકવાર મળવા માંગે છે. એટલા માટે તે વર્ષોથી ઊભો છે. દુલાલ હરિયાણાના પાણીપતનો રહેવાસી છે.
મહાદેવને મળવાની જીદ
આ અનોખા ભક્તનું નામ 'દુલાલ ગિરી જી મહારાજ' છે. તેઓ મૂળ હરિયાણાના પાણીપતના રહેવાસી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ભગવાન શિવની ભક્તિના રંગે રંગાયેલા દુલાલે પ્રભુના સાક્ષાત્કાર માટે યુનિવર્સિટીનો પોતાનો ઉચ્ચ અભ્યાસ પણ અધવચ્ચે જ છોડી દીધો હતો. ભગવા વસ્ત્રો અને લાંબી જટાઓ ધરાવતા દુલાલ ગિરી મહારાજનું કહેવું છે કે, જ્યાં સુધી ભોળાનાથ મને દર્શન નહીં આપે, ત્યાં સુધી હું બેસીશ નહીં અને આમને આમ ઊભા રહીને જ તપસ્યા કરીશ.
પગની હાલત જોઈને લોકો ચિંતિત
મહારાજ પોતાની ધૂનમાં મગ્ન જોવા મળે છે. પરંતુ જેમની નજર તેમના પગ પર જાય છે. તે દ્રશ્ય અસ્વસ્થ કરનારું છે. વર્ષો સુધી સતત ઊભા રહેવાને કારણે પ્રોપર બ્લડ સર્ક્યુલેશન ન થવાને લીધે તેમના પગ કાળા પડી ગયા છે અને ભારે સોજો આવી ગયો છે. અન્ય વ્યક્તિ મહારાજના પગ પર માલિશ કરે છે. જેથી કરીને તેમને થોડી રાહત મળી શકે. અન્ય કેટલાક સોશિયલ મીડિયા વીડિયોમાં તેઓ ખાસ ટેકાના આધારે ઊભા-ઊભા જ ઊંઘવાનો પ્રયાસ કરતા અને ખૂબ જ ધીમે-ધીમે ચાલતા પણ નજરે પડે છે.
આસ્થા અને વિજ્ઞાનની ચર્ચા
ઘણા લોકો મહારાજની આ અડગ શ્રદ્ધા અને કઠિન તપસ્યાને પ્રણામ કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક યુઝર્સ તેમની સ્વાસ્થ્યની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. વિજ્ઞાન અને ડોક્ટરોના મતે આ રીતે વર્ષો સુધી ઊભા રહેવું શરીર માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. પરંતુ દુલાલ ગિરી મહારાજ માટે તો મહાદેવની ભક્તિ જ સર્વોપરી છે.
આ પણ વાંચોઃ Abhishek Banerjeeની લોકસભા સ્પીકર સાથે મુલાકાત, 20 બળવાખોર TMC સાંસદને ગેરલાયક ઠેરવવા કહ્યુ













