પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારને મળવા માટે ચૂંટણી પંચની ઓફિસ પહોંચ્યા છે. તેમની સાથે 13 પરિવારના સભ્ય પણ છે, જે કથિત રીતે SIR પ્રક્રિયાથી પ્રભાવિત છે. આ લોકોની ફરિયાદોને લઈને ચૂંટણી પંચની ઓફિસ પહોંચ્યા છે, જેમના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે અથવા તેમને દબાણમાં આવીને પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટનાક્રમને જોતા ચૂંટણી પંચની બહાર દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર છે.


SIRથી પ્રભાવિત 13 પરિવારના સભ્યો પણ સામેલ

મમતા બેનર્જીની સાથે CECને મળવા પહોંચેલા પ્રતિનિધિમંડળમાં અભિષેક બેનર્જી સહિત SIRથી પ્રભાવિત 13 પરિવારના સભ્યો પણ સામેલ છે. મમતાની સાથે CECને મળવા જે 13 લોકો પહોંચ્યા છે, તેમાંથી 5 એવા મતદાતા છે જેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. તેમનું નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે. આ લોકોમાં 5 એવા પરિવારના સભ્ય છે, જેમનું SIRની નોટિસ મળ્યા બાદ મોત થયું હતું. આ સિવાય 3 એવા પરિવારના સભ્ય પણ હાજર છે, જેમના ઘરના BLOની કથિત રીતે કામ કરવાના દબાણના કારણએ મોત થયું. મમતા બેનર્જીનું કહેવું છે કે આ તમામ લોકોને ન્યાય અપાવવાની માગને લઈ તેઓ દિલ્હી પહોંચ્યા છે.

TMCનો આરોપ છે કે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા પક્ષપાતપૂર્ણ, મનમાની, ભેદભાવપૂર્ણ અને રાજકીય રીતે પ્રેરિત છે. જેના કારણે મતદાતાઓના અધિકાર છીનવી લેવામાં આવી રહ્યા છે. તેને લઈને મુખ્યપ્રધાન અને અભિષેક બેનર્જીએ આ પ્રભાવિત પરિવારોને સાથે લઈને ચૂંટણી પંચની ઓફિસ પહોંચીને પોતાની ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં પણ આપ્યો પડકાર

આ પહેલા મમતા બેનર્જીએ SIRની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરી છે. જેમાં ચૂંટણી પંચ અને પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. તેમને આરોપ લગાવ્યો છે કે આ પ્રક્રિયા મતદાતા લિસ્ટને સ્પષ્ટ કરવાના નામ પર કાયદેસરના મતદાતાઓને વંચિત કરવાનું ષડયંત્ર છે, ખાસ કરીને અલ્પસંખ્યક અને ગરીબ વર્ગને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે.   

આ પણ વાંચો : Parliament Budget Session 2026 : કયા પુસ્તકનો ઉલ્લેખ કર્યો રાહુલ ગાંધીએ? જેની પર સંસદમાં થયો હંગામો


  • Follow us on: