આ અકસ્માત ત્યારે થયો જ્યારે કુણાલ ઝિપલાઇનિંગનો આનંદ માણી રહ્યો હતો. પરંતુ થોડીવારમાં ખુશી શોકમાં ફેરવાઇ હતી.

ઝિપલાઇનિંગ કરતી વખતે હૂક તૂટ્યો

ફિરોઝાબાદના બંગડીના વેપારી પંકજ અગ્રવાલ તેના પરિવાર સાથે આગ્રા આવ્યા હતા. તાજમહેલની મુલાકાત લીધા પછી પરિવાર તેમના બાળકોને લઇને તાજગંજની ચોપાટી પહોંચ્યો હતો. ત્યાં કુણાલે ઝિપ લાઇન પર જવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ આ મજા જીવનનું સૌથી મોટું દુઃખ બની ગયુ હતુ. ચીસો પાડતી માતા અને વિલાપ કરતા પિતાએ તેના દીકરાને ખોળામાં લીધો અને મદદ માટે વિનંતી કરી હતી. પરિવાર પ્રવાસ માટે આવ્યો હતો, પરંતુ એક બેદરકારીભર્યા કૃત્યથી ખુશી શોકમાં ફેરવાઈ હતી.

https://www.instagram.com/reel/DYwWXAckUtu/?utm_source=ig_web_copy_link

માતા-પિતાની સામે પુત્રનું મૃત્યુ

કુણાલને લગભગ 120 મીટર લાંબી અને 45 ફૂટ ઊંચી ઝિપ લાઇન પર મોકલવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, જેમ જેમ તે ઝિપ લાઇન પર આગળ વધ્યો, ત્યારે પુલીનું લોક અચાનક ખુલી ગયું અને તે સીધો નીચે પડ્યો હતો. અકસ્માતને કારણે ઘટનાસ્થળે હોબાળો મચ્યો હતો. ગભરાટમાં માતા-પિતા તેમના પુત્ર તરફ દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસ કાર્યવાહી શરુ

ઘટના બાદ, પોલીસે તાત્કાલિક ઝિપ લાઇનને સસ્પેન્ડ કરી દીધી છે. ચોપાટી મેનેજર અને ઝિપ લાઇન ઓપરેટરની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરિવારની ફરિયાદના આધારે, કેસ દાખલ કરવામાં આવ્યો છે અને કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એડીસીપી હિમાંશુ ગૌરવે જણાવ્યું હતું કે સાહસિક પ્રવૃત્તિઓમાં સલામતીના ધોરણોનું પાલન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે.

ક્યારે શું થયું ?

1. સાંજે 4 વાગ્યે બંગડીના વેપારી અને તેનો પરિવાર તાજગંજની ચોપાટી પર પહોંચ્યો હતો.

2. સાંજે 5 વાગ્યે તેઓ ઝિપ લાઇન માટે ટિકિટ ખરીદે છે. તેઓ પોતાના વારો આવે તે માટે લાઇનમાં ઉભા રહે છે.

3. સાંજે 6 વાગ્યે ઝિપ લાઇનમાં પ્રવેશ્યા પછી થોડીવારમાં, કુણાલ નીચે પડી જાય છે. તેના માતાપિતા ચીસો પાડવા લાગે છે.

4. સાંજે 6:15 વાગ્યે તાજગંજ પોલીસ સ્ટેશનની ફોર્સ ઘટનાસ્થળે પહોંચે છે.

5. સાંજે 6:30 વાગ્યે પોલીસ અધિકારીઓએ અકસ્માત વિશે અધિકારીઓને જાણ કરી.

6. સાંજે 7:00 વાગ્યે એમ્બ્યુલન્સ આવે છે. કુણાલને એસએન મેડિકલ કોલેજ લઈ જવામાં આવે છે.

7. સાંજે 7:30 વાગ્યે કુણાલને મૃત જાહેર કરવામાં આવે છે.

8. સવારે 9:00 વાગ્યે પોલીસ કમિશનર દીપક કુમાર અને ડીસીપી સિટી સૈયદ અલી અબ્બાસ આવે છે.

9. રાત્રે 9:30 વાગ્યે કાર્યવાહી માટે સૂચનાઓ આપ્યા પછી પોલીસ કમિશનર રવાના થાય છે.

10. સવારે 10:00 વાગ્યે મૃત બાળકના માતાપિતા તાજગંજના બસઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

11. સવારે 11 વાગ્યે: ​​પોલીસે લેખિત ફરિયાદ લેવાની પ્રક્રિયા શરૂ કરી. તે રાત્રે પોસ્ટમોર્ટમની તૈયારીઓ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Pakistanમાં China એન્જિનિયરો માટે નવી કમાન્ડો ફોર્સની રચના, જાણો શું છે મામલો?