ત્વિષા શર્માના પરિવારે તેમની પુત્રીના ભડભડા વિશ્રામ ઘાટ પર અંતિમ સંસ્કાર કર્યા હતા.
પરિવારના સભ્યોએ કરી ભાવનાત્મક અપીલ
અંતિમ સંસ્કાર પહેલાં, ત્વિષાના પરિવારે હૃદયસ્પર્શી પત્ર લખીને લોકો અને સંગઠનોને ભાગ લેવા અપીલ કરી હતી. આ અપીલમાં પિતાનું દુઃખ સ્પષ્ટપણે દેખાતું હતું. તેમણે લખ્યું કે આજે તેમને દીકરીના અંતિમ સંસ્કાર કરવાના છે. જેને તેમણે પોતાના ખોળામાં ખવડાવી, ખભા પર ઊંચકીને દુલ્હન તરીકે વિદાય આપી. પરિવારે કહ્યું કે, તેઓ ફક્ત ત્વિષાને જ નહીં, પરંતુ તેમના જીવનના એક અમૂલ્ય ભાગને પણ વિદાય આપી રહ્યા છે.
https://twitter.com/ANI/status/2058504136673673715
https://twitter.com/ANI/status/2058510119483449817
દિલ્હી એઇમ્સે કર્યુ બીજીવાર પોસ્ટમોર્ટમ
આ કેસમાં પારદર્શિતા જાળવવા માટે, દિલ્હીના એઇમ્સની એક ખાસ મેડિકલ ટીમ ભોપાલ પહોંચી. કોર્ટના આદેશ પર રચાયેલી આ ટીમમાં ચાર વરિષ્ઠ ડોકટરોનો સમાવેશ થાય છે. ફોરેન્સિક વિભાગના વડા ડૉ. સુધીર ગુપ્તાના નેતૃત્વમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મૃત્યુના કારણ વિશે કોઈ શંકા ન રહે તે માટે સમગ્ર પ્રક્રિયા આધુનિક સાધનોની મદદથી હાથ ધરવામાં આવી હતી.
https://twitter.com/ANI/status/2058520849423257736
SITની કાર્યવાહી શરુ
કેસની તપાસ કરી રહેલી SIT પણ સક્રિય રીતે સામેલ છે. ટીમે ગિરિબાલા અને તેના પુત્ર સિદ્ધાર્થને હાલ પૂરતું ઘરે જ રહેવા સૂચના આપી છે. એવી પણ અપેક્ષા છે કે SIT ટૂંક સમયમાં સમર્થને તેના ઘરે લઈ જશે, જ્યાં ઘટનાસ્થળની ચકાસણી અને પુનર્નિર્માણ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં ઈરાની રાજદૂતની જાહેરાત બાદ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો
