ઉત્તરપ્રદેશના રાજધાની લખનઉંમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર એક મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ડબલ ડેકર બસ લુધિયાણાથી દરભંગા જઈ રહી હતી, આ દરમિયાન ડ્રાઈવરને ઉંઘ આવવાના કારણે બસનો કાબૂ ગુમાવ્યો અને આ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ગોસાઈગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના 11.4 કિલોમીટર પોઈન્ટ પર થયો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.













