જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત વૈષ્ણો દેવી મંદિરમાં ચઢાવવામાં આવતી ચાંદી અંગે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ દ્વારા સિક્કા અને આભૂષણના રૂપમાં અર્પણ કરવામાં આવેલી ચાંદીમાં ભારે ભેળસેળ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે થોડા મહિના પહેલા લગભગ 20 ટન ચાંદી સરકારી વિભાગને ઓગાળવા અને સંગ્રહ માટે સોંપી હતી.
ચાંદીમાં ઝેરી તત્વ કેડમિયમ અને લોખંડની ભેળસેળ
આ ચાંદીનું મૂલ્ય અંદાજે 500થી 550 કરોડ રૂપિયા ગણવામાં આવ્યું હતું. પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ચાંદીમાં ઝેરી તત્વ કેડમિયમ અને લોખંડની ભેળસેળ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ચકાસણીમાં આ ચાંદીમાં વાસ્તવિક ચાંદીનું પ્રમાણ માત્ર 5થી 6 ટકા જ હોવાનું બહાર આવ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આથી સ્પષ્ટ થાય છે કે શ્રદ્ધાળુઓની ભાવનાનો લાભ લઈને નકલી અથવા ભેળસેળવાળી ચાંદી ચઢાવવામાં આવી રહી હતી.













