જમ્મુ-કાશ્મીરમાં માતા વૈષ્ણવદેવીના રસ્તા પર સર્જાયેલી કુદરતી આફતે ઘણા પરિવારોને મોટી મુશ્કેલીમાં મુકી દીધા છે. આ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ઉત્તરપ્રદેશના શ્રદ્ધાળુઓના પરિવારજનો માટે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સંવેદના વ્યક્ત કરી છે અને એક મોટી જાહેરાત પણ કરી છે.













