ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના ફ્રેઝરગંજ સ્ટેશન દ્વારા 22 જાન્યુઆરીના રોજ એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન બાંગ્લાદેશથી ભારત તરફ સોપારીની દાણચોરી કરતી ભારતીય માછીમારી બોટ IFB લક્ષ્મીનારાયણને પકડી પાડવામાં આવી હોવાની જાણકારી ભારતીય કોસ્ટ ગાર્ડે આપી છે.
સોપારીના કૂલ 52 કોથળા મળી આવ્યા
મળેલી ગુપ્તચર માહિતીના આધારે ICGની બોર્ડિંગ ટીમને તરત જ નિર્ધારિત સ્થળે મોકલવામાં આવી હતી, જ્યાં છોડી દેવામાં આવેલી માછીમારી બોટ મળી આવી અને તેને જપ્ત કરવામાં આવી હતી. બોટની સઘન તપાસ દરમિયાન તેમાંથી 50 કિલો વજનની સોપારીના કૂલ 52 કોથળા મળી આવ્યા હતા, જેનું કુલ વજન 2,600 કિલોગ્રામ થાય છે. પકડાયેલી IFB લક્ષ્મીનારાયણને બાદમાં ફ્રેઝરગંજ લાવવામાં આવી હતી અને બેનફિશ ફિશિંગ જેટી પર બર્થ કરવામાં આવી હતી. બોટ તેમજ જપ્ત કરાયેલા દાણચોરીનો માલ આગળની કાનૂની કાર્યવાહી માટે કોસ્ટલ પોલીસ સ્ટેશન, ફ્રેઝરગંજને સોંપવામાં આવ્યો છે.
