ઈરાન અને ભારત વચ્ચે કૂટનીતિક સ્તરે મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર વચ્ચે બુધવારે સાંજે વિગતવાર ટેલિફોનિક વાતચીત થઈ છે. આ ચર્ચામાં ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મુદ્દે વિગતવાર વિચારવિમર્શ કરવામાં આવ્યો, જે વૈશ્વિક ઊર્જા સપ્લાય અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ માનવામાં આવે છે.













