• પીએમ મોદી આજથી બે દિવસ દુબઇના પ્રવાસે
  • World Climate Action Summitમાં લેશે ભાગ
  • 30 અને 1 ડિસેમ્બર એમ બે દિવસ સુધી દુબઇના પ્રવાસે

PM નરેન્દ્ર મોદી વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ COP-28માં ભાગ લેવા ગુરુવારે દુબઈ જવા રવાના થશે. પીએમ મોદી સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનના આમંત્રણ પર 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે દુબઈમાં હશે. પીએમ મોદી કોન્ફરન્સમાં ભાગ લેનારા કેટલાક વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે.

ક્લાઇમેટ ચેન્જ મુદ્દે આપશે અભિપ્રાય

સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ભારતીય રાજદૂત સંજય સુધીરે કહ્યું કે ભારતે જળવાયુ પરિવર્તન પર જે કહ્યું છે તે કર્યું છે. ક્લાઈમેટ સમિટ (COP 28)માં ભાગ લેવા માટે PM નરેન્દ્ર મોદીની દુબઈની મુલાકાત પહેલા તેમણે કહ્યું કે વૈશ્વિક નેતાઓ સહિત દરેક આ મુદ્દા પર PM મોદીનો અભિપ્રાય જાણવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

COP 28 છે મહત્વપૂર્ણ

સુધીરે કહ્યું કે ભારત COP 28 સમિટને મહત્વપૂર્ણ માને છે. પીએમ મોદી અહીં આવીને બતાવે છે કે આ ઘટના કેટલી મોટી છે. સુધીરે કહ્યું કે ભારતે જળવાયુ પરિવર્તનના મુદ્દે પીએમ મોદીના વિઝન હેઠળ નેતૃત્વની ભૂમિકા ભજવી છે. વિશ્વની છઠ્ઠા ભાગની વસ્તી ધરાવતું ભારત, તેના પોતાના પડકારો છે. પરંતુ તેમ છતાં ભારતે ઈન્ટરનેશનલ સોલર એનર્જી એલાયન્સ પહેલ શરૂ કરી છે. આ ઉપરાંત, આવા ઘણા પગલાં લેવામાં આવ્યા હતા જે ભારતને ક્લાયમેટ ચેન્જ મોરચે અગ્રેસર બનાવે છે.

COP28 કોન્ફરન્સમાં PM મોદીની ભાગીદારી એક મહત્વપૂર્ણ

 ભારતીય રાજદૂતે કહ્યું કે પીએમ મોદી COP28 કોન્ફરન્સમાં ભાગ લેવો એ એક મહત્વપૂર્ણ અવસર છે.તેમણે કહ્યું કે COP28માં છેલ્લી વખત ભારતે ગ્લાસગોમાં ભાગ લીધો હતો અને ત્યારથી ભારતે ક્લાઈમેટ ચેન્જના ક્ષેત્રમાં ઘણું હાંસલ કર્યું છે.

?" target="_blank">https://twitter.com/ANI/status/1729896869441269843?

  • Follow us on: