• PM મોદી આંધ્રપ્રદેશના લેપાક્ષી મંદિરની મુલાકત લઈ શકે
  • શ્રી સત્યસાંઈ જિલ્લામાં પલાસમુદ્રમની મુલાકાત લઈ શકે
  • પીએમ મોદી 'ફ્લોરા ઓફ પલાસમુદ્રમ' પુસ્તકનું વિમોચન કરી શકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે લેપાક્ષી મંદિરની મુલાકાત લઈ શકે તેવી શક્યતાઓ છે. મુખ્ય સચિવ કે.એસ. જવાહર રેડ્ડીએ અધિકારીઓને વડાપ્રધાનની સફળ મુલાકાત માટે વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.

નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ 

મળતી માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે આંધ્રપ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લામાં પલાસમુદ્રમની મુલાકાત લેશે અને નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ (NACIN)ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. આંધ્રપ્રદેશ સરકારની એક પ્રેસનોટ પ્રમાણે, પીએમ મોદી નિર્ધારિત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મંગળવારે બપોરે પલાસમુદ્રમ પહોંચશે અને સાંજે પરત ફરશે.

પીએમ મોદી કામદારો સાથે વાતચીત કરશે

પ્રેસનોટમાં જણાવાયું છે કે, ઉદ્ઘાટન પછી, વડાપ્રધાન એન્ટીક્વિટીઝ સ્મગલિંગ સેન્ટર, નાર્કોટિક્સ સ્ટડી સેન્ટર અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન સેન્ટર જોવા NACIN ના પહેલા માળની મુલાકાત લેશે. ત્યાર બાદ, પીએમ મોદી એક્સ-રે અને સામાન સ્ક્રીનીંગ કેન્દ્રો જોવા માટે ગ્રાઉન્ડ ફ્લોરની મુલાકાત લેશે. આ પછી તેઓ એકેડેમિક બ્લોકની મુલાકાત લેશે અને કેટલાક રોપા રોપશે અને બાંધકામ કામદારો સાથે વાતચીત કરશે.

ફ્લોરા ઓફ પલાસમુદ્રમ પુસ્તકનું વિમોચન

માહિતી અનુસાર, તેઓ કેટલાક તાલીમાર્થી અધિકારીઓ સાથે વાતચીત કરશે અને 'ફ્લોરા ઓફ પલાસમુદ્રમ' નામના પુસ્તકનું વિમોચન કરશે. વડાપ્રધાન NACIN ને માન્યતા પ્રમાણપત્ર પણ આપશે અને આ દરમિયાન તેઓ બધાને સંબોધિત પણ કરશે.

વડાપ્રધાનના વિઝનને સાકાર કરવા તરફ એક પગલું

આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડી પણ પીએમ મોદીના કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. આ પહેલાં વડાપ્રધાન કાર્યાલયએ કહ્યું હતું કે, પલાસમુદ્રમ ખાતે NACIN નું નવું અત્યાધુનિક કેમ્પસ સિવિલ સર્વિસ ક્ષમતા નિર્માણ દ્વારા શાસનમાં સુધારો કરવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવાની દિશામાં એક પગલું તરીકે કલ્પના અને નિર્માણ કરવામાં આવ્યું છે. 500 એકરમાં ફેલાયેલી, એકેડેમી પરોક્ષ કરવેરા (કસ્ટમ્સ, સેન્ટ્રલ એક્સાઇઝ અને ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ) અને નાર્કોટિક્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ માટે ભારત સરકારની સર્વોચ્ચ સંસ્થા છે.

વિશ્વ કક્ષાની રાષ્ટ્રીય સ્તરની તાલીમ સંસ્થા

આ નવા કેમ્પસના ઉમેરા સાથે, NACIN તાલીમ અને ક્ષમતા નિર્માણ માટે નવી યુગની તકનીકો જેમ કે ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટી, બ્લોકચેન તેમજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અન્ય ઉભરતી તકનીકોના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ વિશ્વ કક્ષાની રાષ્ટ્રીય સ્તરની તાલીમ સંસ્થા ભારતીય મહેસૂલ સેવા (કસ્ટમ્સ અને પરોક્ષ કર) તેમજ કેન્દ્રીય સંલગ્ન સેવાઓ, રાજ્ય સરકારો અને ભાગીદાર દેશોના અધિકારીઓને તાલીમ આપશે.

  • Follow us on: